ગુજરાત રાજ્યમાં કંજેકટીવાઇટીસના કેસમાં વધારો થયો છે. જેમાં અમદાવાદમાં 24 કલાકમાં 5 હજાર કેસ નોંધાયા છે. તેમાં ભાવનગરમાં 24 કલાકમાં 2100 કેસ નોંધાયા છે. તથા ઘણા જિલ્લામાં દૈનિક 1 હજાર જેટલા કેસ નોંધાય છે.
અમદાવાદ, ભાવનગર, વડોદરામાં વધુ કેસ છે. તેમજ અમરેલી, ભરૂચ, મહેસાણામાં પણ વધુ કેસ નોંધાયા છે. તથા રાજ્ય આરોગ્ય વિભાગે જિલ્લાઓમાં સૂચના આપી છે. તેમાં આરોગ્ય એડિશનલ ડાયરેક્ટર નિલમ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં નિલમ પટેલે જણાવ્યું છે કે ચેપી પ્રકારનો રોગ હોવાથી સ્વચ્છતાની જરૂર છે. તેમાં આંખોમાંથી સતત પાણી પડે છે. ચેપગ્રસ્ત લોકોએ ભીડવાળી જગ્યાએ ન જવું જોઇએ. સાબુથી સતત હાથ ધોતા રહેવા જોઇએ.
ગુજરાતમાં 24 કલાકમાં અમદાવાદ – 5,000, ભાવનગર – 2100, વડોદરા – 1000 થી વધુ તેમજ અમરેલી – 1000થી વધુ તથા ભરૂચ – 1000 થી વધુ અને મહેસાણા – 1000થી વધુ તથા રાજકોટ – 300 તેમજ જામનગર – 100 કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં કંજેકટીવાઇટીસના કેસમાં થયો વધારો, 24 કલાકમાં નોંધાયા 5 હજાર કેસ
સંબંધિત ન્યૂઝ
-
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026 -
ઇથેનોલ-મિશ્રિત ઇંધણ અંગે, ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, વર્તિકા શુક્લા
04 July, 2026 -
BPCLના પોતાના અધિકારીએ કેમેરા સામે સ્વીકાર્યું, ઇથેનોલ પેટ્રોલ 30% ઓછું માઇલેજ આપે છે.
02 July, 2026 -
રામ મંદિર દાન ઉચાપત આરોપી કરુણેશ પાંડેના પરિવારના સભ્ય પ્રભા શંકર કહે છે, (આરોપ) બિલકુલ ખોટો છે.
01 July, 2026 -
આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાંસદ ચંદ્રશેખર આઝાદ દલિત યુવાન કેતનના પરિવારને મળવા પહોંચ્યા
30 June, 2026
