ઉત્તરાખંડમાં કેદારનાથ જતા ભૂસ્ખલનના કારણે દુર્ઘટનામાં અમદાવાદના ત્રણ સહિત ચાર યુવકોના મૃત્યુ થયા હતા. આજે સવારે ત્રણેય યુવકોના મૃતદેહ અમદાવાદ લાવવામાં આવ્યા હતા. મૃતક મહેશ દેસાઈ અને કુશલ સુથારની આજે સવારે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જમાલપુર સ્મશાન ખાતે બંનેની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ ઘટનામાં જીવ ગુમાવનાર મહેશ એ જીગર મોદીના ડ્રાઈવર હતા, પણ બન્ને વચ્ચે મિત્રતાના સંબંધ હતા. બંને વચ્ચે શેઠ અને કર્મચારી કરતા મિત્રોના સંબંધ વધારે હતા. જીગરભાઈને બાર જ્યોતિર્લિંગ દર્શન કરવાની બાધા હતી. જેમાંથી પાંચ જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ કર્યા હતા અને હવે તેઓ છઠ્ઠા જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે સોમવારે નીકળ્યા હતા. બુધવારે તેઓ હરિદ્વાર ખાતે પહોંચ્યા હતા બુધવારે ત્યાં વરસાદ ખૂબ જ હતો. જેથી તેઓ બુધવારની જગ્યાએ ગુરુવારે જવાનું નક્કી કર્યું હતું. હરિદ્વારથી તેઓ કેદારનાથ યાત્રા પર જતી વખતે તેમણે પોતાની ગાડી તેઓએ નીચે હરિદ્વાર મૂકી દીધી હતી અને લોકલ ટેક્સી ભાડે કરી અને કેદારનાથ જવા નીકળ્યા હતા. ગુરુવારે હોટલમાં જ પોતાની ગાડી મૂકી દીધી હતી. ત્યાંથી લોકલ ટેક્સી ભાડે કરીને જીગરભાઈ, મહેશભાઈ કુશલ અને અન્ય એક મિત્ર સાથે તેઓ કેદારનાથ જવા માટે નીકળ્યા હતા. ત્યારે હરિદ્વારથી 50 કિલોમીટર દૂર ફાટા પાસે આવી દુઃખદ ઘટના બની હતી.
હિમાચલપ્રદેશમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા અમદાવાદના યુવક મહેશ અને કુશલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
સંબંધિત ન્યૂઝ
-
IPLકોચી ફ્રેન્ચાઇઝ પ્રક્રિયા, ભાગેડુ દરજ્જાના ઇનકાર અંગે લલિતમોદીની ટિપ્પણીઓ પર, મંત્રી રામદાસ આઠવલે
04 June, 2026 -
પશ્ચિમ બંગાળ: ટીએમસીમાં રાજકીય મંથન પર બોલતા, આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP) ના વડા હુમાયુ કબીર
03 June, 2026 -
દર વર્ષે, લાખો મુસ્લિમો અહીંથી હજ યાત્રા કરવા માટે રવાના થાય છે : કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ
02 June, 2026 -
સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ NEET, NTA સુધારા અંગે: યુનાઇટેડ ડોક્ટર્સ ફ્રન્ટના અધ્યક્ષ ડૉ.લક્ષ્ય મિત્તલ
01 June, 2026 -
ગ્રામીણ વિકાસ, બાંધકામ અને પંચાયતી રાજ વિભાગો અંગે બેઠક યોજાઈ ઝારખંડના મંત્રી દીપિકા પાંડે સિંહે
27 May, 2026
