US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આપી માહિતી – ભારત અને પાકિસ્તાન છેવટે સીઝફાયર માટે સહમત થયા
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરવામાં છે. વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે માહિતી જાહેર કરી છે સાંજના 5 વાગ્યાથી ભારતે યુદ્ધ વિરામ લાગૂ કરવાની જાહેરાત કરી છે. આ અંગે વિદેશી સચિવ વિક્રમ મિશ્રીએ સંક્ષિપ્તમાં માહિતી આપી છે.
વિક્રમ મિસરીએ કહ્યું કે બંને દેશો યુદ્ધવિરામ માટે તૈયાર છે. 5 વાગ્યાથી જમીન, આકાશમાં અને યુદ્ધમાં યુદ્ધવિરામ કરવામાં આવ્યું છે. ડીજીએમઓ 12મી તારીખે બપોરે 12 વાગ્યે વાટાઘાટો કરશે. આ દરમ્યાન ભારત સરકારે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં ભારત પર કોઈપણ આતંકવાદી હુમલાને ભારત સામે યુદ્ધ તરીકે ગણવામાં આવશે અને તે મુજબ જવાબ આપવામાં આવશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ફરી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ભારત-પાકિસ્તાનમાં યુદ્ધવિરામ લાગુ થઈ ગયું છે. ભારતે પોતાની શરતો પર યુદ્ધવિરામ લાગુ કર્યું છે. બંને દેશોના DGMO વચ્ચે આજે બપોરે 3.35 કલાકે વાતચીત થઈ હતી. ત્યારબાદ સાંજે 5.00 કલાકથી યુદ્ધવિરામ લાગુ થઈ ગયું છે.
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાને વિશ્વના દેશોને ભારત સાથે શાંતિ અને સમાધાન માટે અપીલ કરી હતી. આ દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો દાવો કર્યો. ટ્રમ્પના આ નિવેદનની ભારત સરકારના ટોચના સૂત્રો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ખૂબ જ લાંબી વાટાઘાટ બાદ મને ખુશી છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક અસરથી યુદ્ધ વિરામ એટલે કે સીઝફાયર માટે સહમત થયા છે. કોમન સેન્સ અને ખૂબ જ બુદ્ધિપૂ્ર્વકની સમજણનો ઉપયોગ કરવા બદલ હું બન્ને દેશોને અભિનંદન પાઠવું છું.
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે X પર પોસ્ટ કરી છે કે પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમત થયા છે. જોકે, તેમણે ભારત પર હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસો માટે માફી માંગી ન હતી. તેમણે વધુમાં દાવો કર્યો કે પાકિસ્તાન હંમેશા તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે.