મહાકુંભમાં ત્રણ શંકરાચાર્યોએ કર્યું અમૃત સ્નાન, હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરાઈ, એક દિવસમાં રેકોર્ડબ્રેક 5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓની ડૂબકી લગાવી

shankaracharyas

આજે મહાકુંભનો 17મો દિવસ છે. મૌની અમાવસ્યાનાં દિવસે બીજું અમૃત સ્નાન હોવાથી મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા પહોંચ્યા હતા. વહેલી સવારે અખાડાના ઋષિ-મુનિઓ અમૃત સ્નાન માટે નીકળી પડ્યા હતા. આ દરમિયાન નાસભાગ બાદ સંગમમાં સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. વહીવટીતંત્રે તરત જ અખાડાઓને અપીલ કરી કે અમૃત સ્નાન કરવા ન જાઓ. સાધુ-સંતોએ બેઠક કરી નક્કી કર્યુ કે અખાડાઓના ઋષિ-મુનિઓ તેમજ સાધુ-સંતો મૌની અમાવસ્યા પર સ્નાન નહીં કરે. પરંતુ થોડા કલાકો બાદ સ્થિતિ કાબૂમાં આવી હોવાનું તેમજ સંગમ ઘાટ પર સ્થગિત કરાયેલુ અમૃત સ્નાન ફરી શરૂ થયુ હોવાનું સત્તાધીશોએ જણાવ્યું હતું. પરિસ્થિતિ સામાન્ય થતા સીએમએ અખાડાઓ સાથે વાત કરી. ત્યારબાદ અખાડાઓએ નક્કી કર્યું કે તેઓ અમૃત સ્નાનમાં ભાગ લેશે.

https://twitter.com/ANI/status/1884547237642187138#

હેલિકોપ્ટરમાંથી સંતો અને ભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી

મૌની અમાવસ્યા પર પ્રથમ ત્રણ શંકરાચાર્યોએ અમૃત સ્નાન કર્યું હતું. આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગિરિ મહારાજ, નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર કૈલાસાનંદગિરિ મહારાજે સંગમમાં અમૃત સ્નાન કર્યું હતું. સાધુઓ અને સંતો નાનાં-નાનાં ગ્રુપમાં તેમના ઈષ્ટદેવ સાથે સંગમ સ્નાન કરી રહ્યા છે. હેલિકોપ્ટરમાંથી સંતો અને ભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, તેથી અમૃત સ્નાન લેવાનું નક્કી કર્યું: અવધેશાનંદ ગિરી

મૌની અમાવસ્યા પર, જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી મહારાજે કહ્યું કે અમે વિચાર્યું કે અમારા કારણે ભક્તોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. તેથી અમે અમારું સ્નાન મોકૂફ રાખ્યું હતું, જો કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે, તેથી અમે સ્નાન કરવા આવ્યા છીએ. બધા અખાડાઓ એકસાથે સ્નાન કરવા જાય છે. મારો સંદેશ એ છે કે ભારત અખંડ રહે અને આપણે જાતિના આધારે વિભાજિત ન થવું જોઈએ, આપણે હિન્દુ છીએ, આપણે સનાતની છીએ.

જ્યાં સ્નાન કરશો ત્યાં તમને કુંભ ફળ પ્રાપ્ત થશે: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

મહાકુંભમાં સ્નાન કરતાં પહેલાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું હતું કે, ‘દેશના ત્રણેય શંકરાચાર્ય આજે અહીં પવિત્ર સ્નાન કરવા જઈ રહ્યા છે. અમે જનતા માટે આશીર્વાદનો ધોધ વહાવી રહ્યા છીએ.’

નાસભાગની ઘટના અંગે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું કે, ‘બુધવારે (29 જાન્યુઆરી) મોડી રાત્રે બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને તેના માટે સૌ દુઃખી છે, પરંતુ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આપણે સાવચેત રહેવું જોઈએ. હું ભક્તોને ધીરજ રાખવા અને કુંભ ક્ષેત્રમાં વિવિધ ઘાટ પર પવિત્ર સ્નાન કરવા અપીલ કરું છું. એવી કોઈ ચોક્કસ જગ્યા નથી જ્યાં ભક્તોએ સ્નાન કરવા માટે ભેગા થવું જોઈએ. એક જ જગ્યાએ સ્નાન કરીએ તેવો કોઈ આગ્રહ રાખવાની જરૂર નથી. જ્યાં સ્નાન કરશો ત્યાં તમને કુંભ ફળ પ્રાપ્ત થશે.’

આ અખાડાઓએ અમૃતમાં સ્નાન કર્યું

અત્યાર સુધી જુના અખાડા, નિર્વાણી આવાહન, પંચ દશનમ, પંચાયતી મહાનિર્વાણ અને અખિલ ભારતીય શ્રી પંચ નિર્વાણી અખાડાએ અમૃત સ્નાન કર્યું છે.

મૌની અમાવસ્યાના રોજ બપોરે 2 વાગ્યા સુધી 5.04 કરોડ લોકોએ સ્નાન કર્યું

આજે મૌની અમાવસ્યા નિમિત્તે કરોડો ભક્તો મહાકુંભમાં સ્નાન કરવા ઉમટી પડ્યા છે. એક તરફ અખાડાઓમાં અમૃતસ્નાન ચાલી રહ્યું છે તો બીજી તરફ ભક્તો પણ સ્નાન કરી રહ્યા છે. આજે બપોરે 2 વાગ્યા સુધી 5.04 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. 13 જાન્યુઆરીના રોજ મહાકુંભની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 25 કરોડ જેટલા લોકો મહાકુંભમાં ડૂબકી લગાવી ચૂક્યા છે.

પ્રયાગરાજમાં 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ હાજર

હાલમાં મહાકુંભમેળા અને પ્રયાગરાજ શહેરમાં 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ હાજર છે તેમજ 28 જાન્યુઆરી સુધી 20 કરોડ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે. વહીવટીતંત્ર નજીકના ઘાટો પર સ્નાન કરીને શ્રદ્ધાળુઓને પરત મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે.