PM મોદીએ દેશના સૌથી લાંબા પુલનું ઉદ્ઘાટન કર્યું, ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો

atal-bridge

હવે કલાકોની મુસાફરી મિનિટોમાં થશે, બે કલાકની મુસાફરી માત્ર 20 મિનિટમાં પુરી થશે

મુંબઈના લોકો માટે આજે એક સારા સમાચાર છે. પીએમ મોદીએ આજે ​​અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. અટલ સેતુ ઉપર બાઇક, ઓટો-રિક્ષા અને ટ્રેક્ટરને મંજૂરી આપવામાં આવશે નહીં. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) પર ફોર-વ્હીલર્સ માટે મહત્તમ સ્પીડ લિમિટ 100 કિમી પ્રતિ કલાકની રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે પ્રધાનમંત્રીએ રાજ્યમાં 30,500 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં વિકાસલક્ષી પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો. પીએમ મોદીએ શુક્રવારે મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક (એમટીએચએલ)નું ઉદ્ઘાટન કર્યું હતું. જેને હવે ‘અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ’ નામ આપવામાં આવ્યું છે.

વડા પ્રધાનનું વિઝન શહેરી પરિવહન માળખા અને કનેક્ટિવિટીને મજબૂત કરીને નાગરિકોની ‘ આવનજાવનની સરળતા’ સુધારવાનું છે. અટલ બ્રિજ ભારતનો સૌથી લાંબો પુલ અને ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે. આ બ્રિજ લગભગ 21.8 કિમી લાંબો સિક્સ લેન બ્રિજ છે, જેની લંબાઈ દરિયા પર લગભગ 16.5 કિમી અને જમીન પર લગભગ 5.5 કિમી છે. તે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ડાયરેક્ટ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતમાં મુસાફરીનો સમય પણ ઘટાડશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આનાથી મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટી પણ સુધરશે.

જાણો આ પુલ કેટલો લાંબો છે?
વડા પ્રધાનનું વિઝન શહેરી પરિવહન માળખા અને કનેક્ટિવિટીને મજબૂત કરીને નાગરિકોની ‘ આવનજાવનની સરળતા’ સુધારવાનું છે. આ વિઝનને અનુરૂપ, મુંબઈ ટ્રાન્સહાર્બર લિંક (MTHL), જેને હવે ‘અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ’ નામ આપવામાં આવ્યું છે. 17,840 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલા આ પુલનો શિલાન્યાસ ડિસેમ્બર 2016માં વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. તે 21.8 કિલોમીટર લાંબો 6 લેન પુલ છે, જેની લંબાઈ સમુદ્ર પર 16.5 કિલોમીટર અને જમીન પર લગભગ 5.5 કિલોમીટર છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, પેસેન્જર કારમાંથી વન-વે ટોલ રૂપિયા 250 હશે, જ્યારે પરત ફરતી વખતે મુસાફરી તેમજ દૈનિક અને વારંવાર મુસાફરોની ફી અલગ-અલગ હશે.

આ પુલ પર બાઇક, ઓટો-રિક્ષા અને ટ્રેક્ટરને મંજૂરી આપવામાં આવશે નહીં. મોટરસાઇકલ, મોપેડ, થ્રી-વ્હીલર, પ્રાણીઓ દ્વારા ખેંચાયેલા વાહનો અને ધીમી ગતિએ ચાલતા વાહનો માટે પણ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. મુંબઈ તરફ જતા મલ્ટી એક્સલ હેવી વાહનો, ટ્રક અને બસોને ઇસ્ટર્ન ફ્રીવે પર પ્રવેશ આપવામાં આવશે નહીં.

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) પર ફોર-વ્હીલર્સ માટે મહત્તમ સ્પીડ લિમિટ 100 કિમી પ્રતિ કલાકની રહેશે. કાર, ટેક્સી, લાઇટ મોટર વ્હીકલ, મિનિબસ અને ટુ-એક્સલ બસ જેવા વાહનોની મહત્તમ ગતિ મર્યાદા 100 કિલોમીટર પ્રતિ કલાકની છે. પુલ પર ચડવા અને ઉતરવા પર સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી સીમિત રખાઈ છે.

આ વાહનોએ આગળની અવર-જવર માટે મુંબઈ પોર્ટ-સેવડી એક્ઝિટ (EXIT 1C) લેવું પડશે અને ‘ગાડી અડ્ડા’ નજીક એમબીપીટી રોડનો ઉપયોગ કરવો પડશે. એક અધિકારીએ જણાવ્યું કે લોકોને જોખમ, અવરોધો અને અસુવિધા ન થાય તે માટે મુંબઇ પોલીસે ભારતના સૌથી લાંબા દરિયાઇ પુલ પર ગતિ મર્યાદા લાદી દીધી છે. એમ.ટી.એચ.એલ. મુંબઇના શિવરીથી શરૂ થાય છે અને રાયગઢ જિલ્લાના ઉરણ તાલુકાના ન્હાવા શેવા ખાતે સમાપ્ત થાય છે. મુંબઈ તરફ જતા મલ્ટી એક્સલ હેવી વાહનો, ટ્રક અને બસોને ઇસ્ટર્ન ફ્રીવે પર પ્રવેશ આપવામાં આવશે નહીં.