વડોદરાના દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં શુક્રવારે (બીજી મે) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ૧૧૫૬ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ચાલુ કાર્યક્રમમાં હરણી બોટકાંડની બે પીડિત મહિલાઓ મુખ્યમંત્રીને બૂમો પાડીને પોતાની રજૂઆત કરવા લાગી હતી. આ મહિલાઓ બીજું કોઈ નહીં પરંતુ વડોદરા હરણી બોટકાંડમાં પોતાના બાળકો ગુમાવનાર પીડિતા હતી. આ પીડિતાઓએ મુખ્યમંત્રીને જાહેરમાં રજૂઆત કરવા લાગી, ત્યારે સુરક્ષાકર્મીઓએ બળજબરીપૂર્વક તેમને બેસાડી દીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ક્રોધિત થઈને તેમને ચોક્કસ એજન્ડા થકી આવી હોવાનું કહીને બેસી જવાનું કહ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આવા વલણ સામે પોતાનો આક્રંદ વ્યક્ત કરતા પીડિતાએ કહ્યું કે, ‘શું અમે આતંકવાદી છીએ? શું અમે ગુનેગારો છીએ? અમારો વાંક એટલો જ છે કે અમે અમારા બાળકો ગુમાવ્યા છે…‘
‘શું અમે આતંકવાદી છીએ, ગુનેગાર છીએ?’ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હરણીકાંડ પીડિત મહિલાઓનું આક્રંદ
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
