ગુજરાતનાં ધોરાજીના રસુલપરા વિસ્તારમાં મોહરમ નિમિત્તે કાઢવામાં આવેલ તાજીયા વીજ લાઈનને અડી જતા 24 જેટલા લોકોને કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓનાં મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા આવ્યા છે. ચાર વ્યક્તિઓ હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા હોસ્પિટલ લોકોના ટોળા એકત્રિત થયા હતા. 24 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં બે લોકોનાં મોત થયા છે અને ચાર જેટલા વ્યક્તિઓની તબિયત ગંભીર જણાતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ ધોરાજી પોલીસ અને જીઈબી અધિકારીઓ સહિતના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમજ ધોરાજી ખાનગી હોસ્પિટલ ખાતે ડેપ્યુટી એસ.પી રત્નો પી.આઈ ગોહિલ પીએસઆઇ જાડેજા સ્ટાફ દોડી ગયો હતો. ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ઝુલુસ નીકળી રહ્યું છે. તે સમયે અચાનક ઉપર વીજ વાયરને અઢી જતા કેટલાય લોકો ત્યાં જ રસ્તા પર બેભાન હાલતમાં નીચે પડી જાય છે. લોકોમાં દોડધામ મચી જવા પામી છે. વીજ કરંટ લાગ્યો તેમાં કેટલાય બાળકો પણ જોવા મળી રહ્યા છે.
તાજીયા વીજ લાઈનને અડી જતાં 24 લોકોને કરંટ લાગ્યો, 2 નાં મોત અને 4 લોકોની હાલત ગંભીર
સંબંધિત ન્યૂઝ
-
પશ્ચિમ બંગાળ: ટીએમસીમાં રાજકીય મંથન પર બોલતા, આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP) ના વડા હુમાયુ કબીર
03 June, 2026 -
દર વર્ષે, લાખો મુસ્લિમો અહીંથી હજ યાત્રા કરવા માટે રવાના થાય છે : કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ
02 June, 2026 -
સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ NEET, NTA સુધારા અંગે: યુનાઇટેડ ડોક્ટર્સ ફ્રન્ટના અધ્યક્ષ ડૉ.લક્ષ્ય મિત્તલ
01 June, 2026 -
ગ્રામીણ વિકાસ, બાંધકામ અને પંચાયતી રાજ વિભાગો અંગે બેઠક યોજાઈ ઝારખંડના મંત્રી દીપિકા પાંડે સિંહે
27 May, 2026 -
મુંબઈ : ઈદ ઉલ-અધા પહેલા મીરા રોડ પર કુર્બાની માટે બનાવેલા શેડના મુદ્દા પર, ડીસીપી રાહુલ ચૌહાણ
26 May, 2026
