ફરિયાદ અંગે જિલ્લા ભુસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા ફરીયાદવાળી જગ્યાએ તેમજ આસપાસની જ્ગ્યાએ તપાસ કરતા કોઈ પણ જાતનું બિનઅધિકૃત રીતે ખનન કે વહન થયેલ જોવા મળેલ ન હતું.
તાજેતરમાં મીડિયામાં પ્રકાશિત થયેલ અકલાચા, ભદ્રાસા, રાણીયાને જોડતો કાચો રસ્તો લીઝધારકઓ દ્વારા ગ્રામજનો તથા લાગુ પંચાયતોની પરવાનગી વગર બનાવવામાં આવેલ હોવાના અહેવાલ અંગે જિલ્લા ભુસ્તરશાસ્ત્રીની કચેરીની તપાસ ટીમ દ્વારા અકલાચા ગામના સંરપચશ્રી, ભદ્રાસા ગામના સંરપંચ તથા પંચોની હાજરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ કરતા પંચો તેમજ સરપંચઓની હાજરીમાં જણાવ્યા મુજબ અકલાચા, ભદ્રાસા અને રાણીયાને જોડતો કાચો(પગદંડી) રસ્તો ગ્રામજનોના અવરજવર હેતુ ગ્રામજનોની અને પંચાયતના બોડીના સહમતતીથી અગાઉ એક વર્ષ પહેલા બનાવેલ છે. વધુ તપાસ કરતા ઉપરોક્ત બનેલ કાચો રસ્તો મહીસાગર નદી તટ્ટને કિનારે બનાવેલ હોવાથી પાણીનો વહેણ બદલાયેલ ગયો હોય તેમ પ્રાથમિક દ્રષ્ટીએ તપાસ કરતા જાણવા મળ્યું ન હતું. જેથી ફરીયાદવાળી જગ્યાએ તેમજ આસપાસની જ્ગ્યાએ તપાસ કરતા કોઈ પણ જાતનું બિનઅધિકૃત રીતે ખનન કે વહન થયેલ જોવા મળેલ ન હતું.
વધુમાં તપાસ કરતા કવોરીલીઝ ધારક દ્વારા રોયલ્ટી પાસ મુજબ વાહનોનું અધિકૃત રીતે વહન કરવામાં આવેલ છે જે ચેકિંગ દરમ્યાન વાહનના રોયલ્ટી પાસની ખરાઈ પણ કરવામાં આવી હતી. જેથી આસપાસના કવોરી લીઝધારક દ્વારા કોઇપણ જાતનું બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહ કરવામાં આવેલ હોય તેવુ તપાસ દરમિયાન જોવા મળ્યું ન હતું.
ઉપરાંત ફરીયાદવાળી જગ્યાએ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીની તપાસ ટીમ દ્વારા અવાર નવાર તપાસ કરવામાં આવશે, તેમ ભુસ્તરશાસ્ત્રી ખેડા દ્વારા જણાવવામાં આવ્યું છે.