અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 241 પેસેન્જરોના મોત, એક મુસાફરનો ચમત્કારીક બચાવ

Ramesh Vishvash Kumar

ગંભીર રીતે ઘાયલ રમેશે કહ્યું- ટેકઓફ કર્યાના 30 સેકન્ડ પછી, વિમાન એક મોટા અવાજ સાથે ક્રેશ થયું. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મારી આસપાસ લાશો હતી. વિમાનના ટુકડા ચારે બાજુ વિખરાયેલા હતા. કોઈએ મને ઉપાડ્યો અને એમ્બ્યુલન્સમાં બેસાડ્યો.

અમદાવાદ વિમાન દુર્ઘટના ગુરુવારે ટેકઓફ થયાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. લંડનના ગેટવિક એરપોર્ટ તરફ જઈ રહેલા આ વિમાનમાં 10 ક્રૂ સભ્યો સહિત 242 લોકો સવાર હતા. જે તમામ લોકોના મોત થયા હતા તેવા સમાચાર સામે આવ્યા હતા. પરંતુ હાલમાં જાણવા મળ્યુ છે કે 1 મુસાફરનો ચમત્કારીક રીતે બચી ગયા છે.

ગુરુવારે, એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું હતું. વિમાન ક્રેશ થયા બાદ ભયંકર આગ લાગી હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ હાલ મળી રહેલ તાજા સમાચાર અનુસાર 241 લોકોના મોત થયા છે. જ્યારે ચમત્કારિક રીતે એક મુસાફર બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

સમાચાર એજન્સી ANIએ પોલીસ કમિશનરને ટાંકીને જણાવ્યું હતું કે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર, જે વિમાનની સીટ નંબર 11-A પર બેઠેલા હતા, તે અકસ્માતમાં બચી ગયા હતા. તેમનો વીડિયો પણ સામે આવ્યો છે. રમેશે કહ્યું કે હું વિમાનના 11A પર બેઠો હતો. તે અકસ્માત સ્થળ પરથી જાતે જ બહાર આવતો જોવા મળે છે. વિશ્વાસના ચહેરા પર ઈજાઓ છે અને તે લંગડાતો રહે છે.

ગંભીર રીતે ઘાયલ રમેશે કહ્યું- ટેકઓફ કર્યાના 30 સેકન્ડ પછી, વિમાન એક મોટા અવાજ સાથે ક્રેશ થયું. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મારી આસપાસ લાશો હતી. વિમાનના ટુકડા ચારે બાજુ વિખરાયેલા હતા. કોઈએ મને ઉપાડ્યો અને એમ્બ્યુલન્સમાં બેસાડ્યો. મારો ભાઈ પણ મારી સાથે વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો. કૃપા કરીને મને તેને શોધવામાં મદદ કરો.

અગાઉ APએ કહ્યું હતું કે વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા.

વિજય રૂપાણીનુ નિધન
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં હતા. તેમનુ પણ આ દુર્ઘટનામાં નિધન થયું છે. વિજય રૂપાણીના નિધનની પુષ્ટિ પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટિલે કરી છે.

ડીએનએ ટેસ્ટ પછી ઓળખ કરવામાં આવશે
વિમાનમાં 242 મુસાફરો હતા. તેમાં 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક હતો. અત્યાર સુધીમાં અકસ્માત સ્થળેથી 100 મૃતદેહો મળી આવ્યા છે. મોટાભાગના મૃતદેહો એટલા ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ છે. તેમની ઓળખ ડીએનએ ટેસ્ટ પછી જ શક્ય બનશે.

ડીએનએ નમૂના આપવાની વ્યવસ્થા

આરોગ્ય મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદીના જણાવ્યા અનુસાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકોના સંબંધીઓના ડીએનએ નમૂના લેવાની વ્યવસ્થા કરી છે જેથી તેમની ઓળખ કરી શકાય. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસૌટી ભવનમાં ડીએનએ નમૂના આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

તમે અહીં નમૂનાઓ આપી શકો છો
મૃતકના નજીકના સંબંધીઓ (માતાપિતા અથવા બાળકો) ડીએનએ નમૂના આપી શકશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં ડીએનએ નમૂના એકત્રિત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કસોટી ભવન બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલું છે.

હોસ્પિટલ ઇમરજન્સી નંબરો

અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, હોસ્પિટલ વહીવટીતંત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દી-લક્ષી સારવાર સંબંધિત માહિતી માટે સંપર્ક કરવા માટે બે ફોન નંબરો જાહેર કર્યા છે.

6357373831
6357373841