હત્યા બાદ સોનમ ટ્રેનથી ઇન્દોર આવી હતી : ભાડાના ઘરે રોકાઈ, પોલીસ આરોપી સાથે પટનાથી શિલોંગ જવા રવાના થઈ

રાજા રઘુવંશી હત્યા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. સોનમ રઘુવંશી તેના પતિની હત્યા કર્યા પછી ૨૫ મેના રોજ શિલોંગથી સિલિગુડી થઈને ટ્રેનથી ઇન્દોર પહોંચી હતી. ઇન્દોરમાં તે ભાડાના રૂમમાં રહી. એક ડ્રાઇવરે તેને વારાણસીમાં છોડી દીધી, જ્યાંથી તે ગાઝીપુર પહોંચી. શિલોંગના એસપી વિવેક શ્યામે પુષ્ટિ આપી છે. આ દરમિયાન, મેઘાલય પોલીસ હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા ઇન્દોરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિ રાજા રઘુવંશી (૨૯)ની પત્ની સોનમને લઈને પટના એરપોર્ટથી રવાના થઈ ગઈ છે. ટીમ પહેલા કોલકાતા પહોંચશે અને પછી ગુવાહાટી થઈને શિલોંગ પહોંચશે…