ગુજરાતના દાહોદમાં મનરેગા યોજનામાં ૭૧ કરોડનો કૌભાંડ સામે આવ્યું

ગુજરાતના દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. ૭૧ કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડમાં ભાજપ સરકારના મંત્રીના બે પુત્રોની ધરપકડ કરવામાં આવી છે. જાે યોગ્ય તપાસ થાય તો ૪૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવશે. પ્રધાનમંત્રી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે જવાના છે. મનરેગામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર અંગે ગુજરાત કોંગ્રેસ અને સામાજિક નેતાઓના એક પ્રતિનિધિમંડળે તેમને મળવા માટે સમય માંગ્યો છે. પ્રધાનમંત્રી “હું ખાતો નથી અને બીજાને ખાવા દેતો નથી” એવું સૂત્ર આપે છે તો જુઓ કે ભાજપના લોકો નળના પાણી અને મનરેગા યોજનાઓમાં કરોડો રૂપિયા કેવી રીતે ખાઈ રહ્યા છે…