એમ મોદીના આ ર્નિણયને અસદુદ્દીન ઓવૈસીએ આવકાર્યો, કહ્યું – ‘સંસદમાં બિલ લાવો, તમને કોણ રોકી રહ્યું છે?‘

કેન્દ્ર સરકારે તાજેતરમાં દેશભરમાં જાતિ વસ્તી ગણતરી કરવાનો મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. સરકારના આ ર્નિણયનું વિપક્ષ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓ તેને પોતાના પ્રયાસોનું પરિણામ ગણાવી રહ્યા છે. આ દરમિયાન, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીનના સુપ્રીમો અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકારના આ ર્નિણય પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઓવૈસીએ ર્નિણયને સમર્થન આપવા સાથે સરકારના ઇરાદા અને સમયબદ્ધતા પર સવાલો પણ ઉઠાવ્યા છે…