અમદાવાદના ચંડોળામાં સતત ત્રીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી; ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

chandolaDemolition

ગની પથ્થરવાલાએ ખડકી દીધેલા ગેરકાયદે બાંધકામો અને લેબર કોલોનીને દૂર કરીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે.

ગુજરાતભરમાં ગેરકાયદેસર ઘૂસણખોરો વિરુદ્ધ સરકારે ઉપાડેલા મહાભિયાનના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચંડોળા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત બે દિવસમાં 4 હજારથી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. સુરક્ષાના ભાગરુપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

અમદાવાદના ચંડોળા તળાવની જગ્યામાં થતા ગેરકાયદે બાંધકામને મંગળવારે 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કર્યા પછી બીજા દિવસે માત્ર 50 હજાર ચોરસ મીટર જગ્યા ખાલી કરતા બે દિવસમાં માત્ર 1.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન જ ખુલ્લી કરાવી હતી. ત્યારબાદ ત્રીજા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત છે.

આજે નાના ચંડોળા તરીકે ઓળખાતા વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. તંત્રએ વહેલી સવારથી જ ડિમોલિશનની કામગીરી શરૂ કરી દીધી છે. કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ સ્ટાફની હાજરીમાં ગેરકાયદે બાંધકામો પર જેસીબી ફેરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર અસામાજિક તત્ત્વ ગની પથ્થરવાલાના ઘર અને દુકાનો સહિતની જગ્યામાં ડિમોલિશની કામગીરી ચાલી રહી છે. ગની પથ્થરવાલાએ ખડકી દીધેલા ગેરકાયદે બાંધકામો અને લેબર કોલોનીને દૂર કરીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે. મિલ્લતનગર નજીક ગની પથ્થરવાળાએ પાંચ જેટલી દુકાનો સહિતના ગેરકાયદે બાંધકામો ખડકી દીધા હતા. તેમજ ગેરકાયદે રીતે લેબર કોલોની બનાવવામાં આવી હતી. ગની પથ્થર વાલાનો દીકરો હુસૈન પથ્થર વાલા આ જગ્યાનું સંચાલન કરે છે. આ દબાણો દૂર કરવા માટે પોલીસને સાથે રાખીને મેગા ડિમોલિશન હાથ ધરાયું છે.

આ અંગે એસીપી પ્રદીપસિંડ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, આજે ચંડોળા તળાવ છે ત્યાં અતિક્રમણ ખૂબજ વધુ પ્રમાણમાં કરવામાં આવ્યું છે. ગની પથ્થવાળા કરીને છે. તેણે આગળ પાંચ દુકાનો બનાવી છે. પાછળ ગોડાઉન બનાવ્યું છે. તે રેતી-કપચીનો ધંધો કરે છે. તેને ત્યાં આજે એએમસીએ નક્કી કરતા મોટું દબાણ દૂર કરવામાં આવ્યું છે. અન્ય જે મોટા દબાણો છે તેને દૂર કરવા અંગે એએમસી નક્કી કરશે એ પ્રમાણે પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે.

અમદાવાદમાં ચંડોળા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ગેર કાયદેસર વિજ દબાણો દૂર કરવામાં આવ્યા છે, આજે પણ વહેલી સવારથી ગેર કાયદેસર દબાણો દૂર કરયા છે, આ વિસ્તારમાં ઘુસણખોરોને વસાવવામાં મદદ કરનાર કુખ્યાત લલ્લા બિહારીના લગભગ 5 હજાર વાર વિસ્તારમાં ફેલાયેલા ગેરકાયદે બાંધકામને પણ જમીનદોસ્ત કરી દેવાયું છે. લગભગ 1 હજારથી વધુ ગેરકાયદે કાચા-પાકા મકાનોને તોડી પડાયા છે. અને હજુ આવનારા દિવસોમાં આ કામીગીરી યથાવત રહેશે, ચંડોળા તળાવ વિસ્તાર એ બડા તળાવ અને છોટા તળાવ એમ બે ભાગમાં વહેંચાયેલું છે.