શુક્રવારે સાંજે આવેલા ભૂકંપના તીવ્ર આંચકાથી નેપાળમાં લોકો ગભરાઈ ગયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 માપવામાં આવી હતી. ભારતમાં ભૂકંપ પર નજર રાખતી સરકારી નોડલ એજન્સી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આ ભૂકંપ નેપાળમાં સવારે 7:52 વાગ્યે આવ્યો હતો.
નેપાળમાં આવેલા ભૂકંપના આંચકા ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના ઘણા શહેરોમાં અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપ સાંજે 7:52 વાગ્યે (સ્થાનિક સમય) આવ્યો હતો અને તેની તીવ્રતા 5.0 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળના તાલેંગાઉ નજીક લગભગ 20 કિલોમીટરની ઊંડાઈએ હતું.
ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા
નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, ભૂકંપને કારણે કોઈના મૃત્યુ કે ઈજાના અહેવાલ નથી અને કોઈપણ માળખાગત સુવિધાને કોઈ નુકસાન થયું નથી.
નેપાળમાં આવેલા ભૂકંપ બાદ ઉત્તરાખંડના પિથોરાગઢમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.
તેવી જ રીતે, બિહાર, આસામ, ઉત્તર પ્રદેશ સહિત દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ કારણે ગુરુવારે મહારાષ્ટ્રના સોલાપુરમાં 2.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
નેપાળ દુનિયામાં સૌથી વધુ સક્રિય ભૂકંપીય ક્ષેત્રોમાંથી એક છે, જ્યાં ભૂકંપનો ખતરો સૌથી વધુ રહે છે. થોડા દિવસ અગાઉ જ મ્યાનમારમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેમાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હજુ તો મ્યાનમારમાં ભૂકંપના ઘા રુઝાયા નથી ત્યાં નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભારત સરકારે મ્યાનમારના ભૂકંપ પીડિત લોકોની મદદ માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે. મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધી ત્રણ હજારથી વધુ લોકોના મોત થયા છે જ્યારે આશરે પાંચ હજાર લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે 300થી વધુ હજુ ગુમ છે.