તેઓ ઘણા લાંબા સમયથી લીવરની બીમારીથી પીડિત હતા
પ્રખ્યાત ટીવી શૉ ભાભીજી ઘર પર હૈ, હપ્પુ કી ઉલ્ટન પલટન, જીજાજી છત પર હૈ જેવા કોમેડી શોથી લોકોને હસાવનારા લેખક મનોજ સંતોષીનું આજે હૈદરાબાદની હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી ટીવી જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
લેખક મનોજ સંતોષીનું 23 માર્ચે સાંજે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઘણા સમયથી લીવરની બીમારીથી પીડિત હતા. અલીગઢમાં, તેમના નજીકના મિત્ર સંજય મહેશ્વરીએ જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ મનોજ સંતોષીના પાર્થિવ શરીરને હૈદરાબાદથી બુલંદશહેરના રામઘાટ લઈ જવામાં આવશે. આજે રાત્રે પાર્થિવ શરીર અલીગઢમાંથી પસાર થશે.
મનોજ સંતોષી ઉત્તરપ્રદેશના બુલંદશહેર જિલ્લાના રામઘાટના રહેવાસી હતા. તેમનો જન્મ ૧૯૭૬માં બુલંદશહેર જિલ્લામાં ગંગાના કિનારે આવેલા રામઘાટ શહેરમાં થયો હતો. તેમણે જરગવાન સ્થિત ઇન્ટર કોલેજમાં અભ્યાસ કર્યો. સિંગર બનવાનું સપનું લઈને તેઓ મુંબઈ ગયા. ત્યાં એક લેખક સાથે તેમની મુલાકાત થયા પછી તેમણે લેખનને પોતાનું કરિયર બનાવવાનો નિર્ણય લીધો હતો.