આજે ‘મહિલા દિવસ’ નિમિત્તે પીએમ મોદીએ 41 હજાર લખપતિ દીદી સહિત 1.5 લાખ મહિલાઓનું સન્માન કર્યું હતુ. PM મોદીએ કહ્યું કે, ‘દેશની માતા-બહેનોને મહિલા દિવસની શુભકામનાઓ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે સુરત (Surat) અને સેલવાસમાં (Silvassa) કાર્યક્રમ યોજ્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી (PM Modi in Navsari) ખાતે યોજાયેલ લખપતિ દીદી કાર્યક્રમમાં પહોંચ્યા હતા. રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ (CR Patil) પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
નવસારીમાં જનસભાને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના દિવસે હું ગર્વથી કહી શકું છું કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું. જ્યારે હું આવું કહું છું ત્યારે અનેક લોકોના કાન સાંભળવા ઉંચા થઈ જશે. આખી ટ્રોલ સેના મેદાનમાં ઉતરી આવશે. છતાં પણ હું કહીશ કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું.
પીએમ મોદીએ કહ્યું કે મારા જિંદગીના એકાઉન્ટમાં કરોડો માતા, બહેનો અને દીકરીઓના આશિર્વાદ છે અને આ પ્રેમ સતત વધી રહ્યો છે. માટે હું કહું છું કે હું દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ છું.
નવસારીમાં તેમણે લખપતિ દીદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે ગ્રામીણ મહિલાના સશક્તિકરણ પર ભાર મુક્યો હતો. પીએમ મોદી 700 મીટરનો રોડ શો કરીને હેલિપેડથી કાર્યક્રમ સ્થળ પહોંચ્યા હતા. દેશમાં પહેલીવાર પીએમ મોદીની સુરક્ષામાં પણ માત્ર મહિલા પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે નારીનું સન્માન વિકસિત ભારતની પહેલી સીડી છે.
પીએમ મોદીએ આગળ કહ્યું કે, આજે ‘ગુજરાત સફલ’ અને ‘ગુજરાત મૈત્રી’ આ બે યોજનાઓનો શુભારંભ પણ થયો છે. અનેક યોજનાઓનાં રૂપિયા સીધા મહિલાઓનાં ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આજનો દિવસ અમારી માટે મહિલાઓથી પ્રેરણા મેળવવાનો છે. શાસ્ત્રમાં નારીને નારાયણી કહેવાય છે. વિકસિત ભારત બનાવવા મહિલાઓનો સહયોગ પણ જરૂરી છે.’ પીએમ મોદીએ આગળ કહ્યું કે, ‘મહિલાઓને સન્માન અને સુવિધા આપવી એ અમારી સરકારીની પ્રાથમિકતા છે.
આજે ભારત વુમન લીડ ડેવલેપમેન્ટ ની રાહ પર નીકળી પડ્યું છે. રાજનીતિનો ખેલ હોય કે મેદાન, ન્યાયપાલિકા હોય કે પોલીસ… દેશના દરેક સેક્ટરમાં મહિલાઓનું પ્રભુત્વ વધી રહ્યું છે. અમારી સરકાર મહિલાઓના જીવનમાં સન્માન અને સુવિધા બંનેને સર્વોચ્ય પ્રાથમિકતા આપે છે. અમે કરોડો મહિલાઓ માટે શૌચાલય બનાવ્યા છે. અમે કરોડો મહિલાઓના ખાતા ખોલીને બેકિંગ સાથે જોડ્યા છે. ઉજ્જવલા સિલિન્ડર આપીને ધુમાડાઓથી મુક્ત કરી છે.
આ સાથે જ મહાત્મા ગાંધીને એક પંક્તિને યાદ કરતા તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી કહેતા હતા કે દેશની આત્મા ગ્રામીણ ભારતમાં વસે છે. આજે હું એક લાઈન તેમાં ઉમેરું છું કે ગ્રામીણ ભારતની આત્મા ગ્રામીણ નારીના સશક્તિકરણમાં વસે છે. આ માટે અમારી સરકાર મહિલાઓના અધિકારો, મહિલાઓ માટેની નવી તકોને મોટી પ્રાથમિકતા આપે છે.
વડાપ્રધાને (PM Modi in Navsari) કહ્યું કે, ‘ત્રણ તલાકની વિરૂદ્ધમાં કાયદો લાવ્યા, જેથી મુસ્લિમ બહેનોનું જીવન તબાહ થતા બચાવી શકાય. કાશ્મીરની મહિલાઓ પહેલા અન્ય રાજ્યમાં લગ્ન નહોતી કરી શકતી પરંતુ, 370 હટ્યા બાદ હવે તેમને તે અધિકાર પણ મળ્યો છે.’ પીએમ મોદીએ આગળ કહ્યું કે,’ વર્ષ 2019 માં પહેલીવાર સંસદમાં 78 મહિલા સાંસદ ચૂંટાઇને આવી હતી. ન્યાયપાલિકામાં પણ મહિલાઓની ભાગીદારી વધી છે. જ્યારે આ કાર્યક્રમની સુરક્ષા-વ્યવસ્થા પણ મહિલાઓનાં હાથમાં છે.’
પીએમ મોદીએ કહ્યું કે,’વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ થશે જ અને આ સંકલ્પમાં નારીશક્તિનો મોટો હાથ હશે. લિજ્જત પાપડ એક મહિલાએ શરૂ કરી હતી. આજે લિજ્જત પાપડનું કરોડોનું ટર્નઓવર છે.’ વડાપ્રધાને કહ્યું કે,’હાલ 15.5 કરોડ ઘરોમાં પાઇપલાઇનથી પાણી પહોંચાડ્યું. પાણી સમિતિ મોડલથી પાણીનાં સંકટને દૂર કરાયું. સી.આ.પાટીલની (CR Patil) આગેવાનીમાં અભિયાન શરૂ થયું છે.’ PM મોદીએ (PM Narendra Modi) આગળ કહ્યું કે,’નમો ડ્રોન દીદી યોજનાથી દેશમાં નવી ક્રાંતિ આવી છે. નાગરિકોને 20 લાખ સુધીની વગર ગેરંટીએ લોન અપાઇ છે.’