પીએમ મોદીએ સિલવાસાને આપી મોટી ભેટ, 450 બેડવાળી નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

pmModiSurat
  • પીએમ મોદીએ સિલ્વાસામાં 2587 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો
  • આવતી કાલે નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. સિલ્વાસામાં, તેમણે 450 બેડવાળી નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ પછી, તેમનો લગભગ 3 કિમી લાંબો રોડ શો એરપોર્ટથી સુરતના લિંબાયત સુધી યોજવામાં આવ્યો હતો. સુરતમાં ફૂડ સિક્યોરિટી સેચ્યુરેશન કેમ્પેઇનનો શુભારંભ કરાવ્યો.

https://twitter.com/narendramodi/status/1898019850511171676

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 2 વાગ્યે સુરત પહોંચ્યા અને અહીંથી તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ સિલવાસા જવા રવાના થયા. તેમણે અહીં 450 બેડવાળી નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે, 650 પથારીની ક્ષમતાવાળા બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો. ૪૫૦ બેડની આ હોસ્પિટલનું નિર્માણ ૪૬૦ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું અને તેનાથી કેન્દ્રશાસિત પ્રદેશમાં આરોગ્યસંભાળ સેવાઓમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. સિલ્વાસામાં પ્રધાનમંત્રીએ 2587 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો. સેલવાસમાં વિકાસને ભેટો આપ્યા બાદ પીએમ મોદી સુરત પહોંચ્યા હતા. સુરતમાં ફૂડ સિક્યોરિટી સેચ્યુરેશન કેમ્પેઇનનો શુભારંભ કરાવ્યો હતો.

https://twitter.com/narendramodi/status/1897990721313161646#

પીએમ મોદી સાંજે લગભગ 5 વાગ્યે સિલવાસાથી સુરત પહોંચ્યા જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. અહીં તેમનો એરપોર્ટથી લિંબાયત સુધીનો લગભગ 3 કિમી લાંબો રોડ શો યોજાયો હતો. આ સમય દરમિયાન, તેમના સ્વાગત માટે દર 100 મીટર પર 30 પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા હતા. તેમણે સ્થળ પર ઘણા લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા. અહીં તેમણે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભાર્થીઓને તેના લાભોનું વિતરણ કર્યું. આ ઉપરાંત, તેમણે સુરત ફૂડ સિક્યુરિટી સેચ્યુરેશન કેમ્પેઇન પણ શરૂ કર્યું.

લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકારે યોજનાઓને લોકોના ઘરઆંગણે પહોંચાડી છે. હવે લોકોને ઘરે અનાજ મળી રહ્યું છે, પૈસા સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર થઈ રહ્યા છે. પીએમએ કહ્યું કે તેમની સરકાર તુષ્ટિકરણની નહીં પણ સંતોષની નીતિને અનુસરી રહી છે.

મહિલા દિવસે નવસારી જઈશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં જણાવ્યું હતું કે, કાલે મહિલા દિવસે મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી એક્ટિવિટી મહિલાઓને સોંપવા જઇ રહ્યો છું. કાલે નવસારીમાં નારી સમર્પિત એક મોટા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો છું. આજે મોટી માત્રામાં માતા-બહેનો આશિર્વાદ આપવા આવી છે. સુરત આવીજ રીતે મીની ભારત, વિશ્વના શ્રેષ્ઠ શહેર તરીકે વિકસિત રહે એ માટે પ્રયાસ કરતા રહીશું. જે શહેરના લોકો શાનદાર હોય તેમના માટે બધુ શાનદાર હોવું જોઇએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હી મુંબઇ એક્સ્પ્રેસ અને આવનારા સમયમાં બુલેટ ટ્રેન એક મહત્વનો પ્રોજેક્ટ છે. સુરત મેટ્રોથી શહેરની કનેક્ટવિટી શાનદાર થવા જઇ રહી છે. આ બધા પ્રયાસોથી સુરતીઓનું જીવન સરળ થઇ રહ્યું છે. થોડા દિવસ પહેલા મે દેશની નારી શક્તિને તમારા જીવનની પ્રેરણાદાયી યાત્રા, સફળતાઓ શેર કરવા કહ્યું હતું. અનેક મહિલાઓ, બહેનો અને દીકરીઓએ નમો એપ પર પોતાની ગાથાઓ શેર કરી છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, પીએમ બન્યા બાદ આ મારી પહેલી સુરતની મુલાકાત છે. ગુજરાતે જેને ઘડ્યો તેને દેશે વ્હાલથી અપનાવ્યો છે. હંમેશા આપ સૌનો ઋણી છું. જેમણે મારા જીવનને ઘડવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. સુરતની સ્પીરિટ યાદ ન આવે અને જોવા ન મળે એ કેવી રીતે બને. કામ અને દામ આ બે એવી વસ્તુ છે જે સુરતને વધુ વિશેષ બનાવે છે. એકબીજાને સપોર્ટ કરવો. સૌના વિકાસને સેલિબ્રેટ કરવો. એ આપણને સુરતના દરેક ખૂણામાં જોવા મળે છે.