કેન્દ્ર સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલ્યુ, હવેથી ‘શ્રી વિજય પુરમ’ તરીખે ઓળખાશે

shree-vijaypuram

કેન્દ્ર સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલ્યું છે. આંદામાનની રાજધાની પોર્ટ બ્લેર હવેથી ‘શ્રી વિજય પુરમ’ તરીકે ઓળખવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સાઈટ ‘X’ પર ટ્વીટ કરીને જાણકારી આપી છે.

આંદામાનની રાજધાની પોર્ટ બ્લેયર હવે શ્રી વિજય પુરમ તરીકે ઓળખાશે’, અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સાઈટ ‘X’ પર ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ‘અમે પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજય પુરમ કરવાનો નિર્ણય લીધો છે. શાહે કહ્યું કે પોર્ટ બ્લેર નામ સંસ્થાનવાદી વારસાનું પ્રતીક છે. તેથી સરકારે તેનું નામ બદલવાનો નિર્ણય લીધો છે.

“શ્રી વિજય પુરમ” નામ આપણા આઝાદી માટેના સંઘર્ષની સાથે સાથે તેમાં આંદામાન અને નિકોબારના યોગદાનને દર્શાવે છે. આ ટાપુ આપણા દેશની સ્વતંત્રતા અને ઈતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે. ચોલા સામ્રાજ્યમાં નૌકાદળની ભૂમિકા ભજવનાર આ ટાપુ આજે દેશની સુરક્ષા અને વિકાસને વેગ આપવા માટે તૈયાર છે.’

ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું છે કે, ‘આ ટાપુ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા પ્રથમ ત્રિરંગો લહેરાવવામાંથી લઈને વીર સાવરકર અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા ભારત માતાની આઝાદીની લડાઈ સુધીનું સ્થળ પણ છે.’

ઉલ્લેખનીય છે કે ગત જાન્યુઆરીમાં વીરતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંદોમાન અને નિકોબાર ટાપુના 21 મોટા અનામી ટાપુઓને પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખ્યા હતા.તેમણે નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મોડેલનું પણ અનાવરણ કર્યું, જે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ટાપુ પર બનાવવામાં આવ્યું છે.