નિર્દોષ લોકોની કોઈ ધરપકડ કરાઈ નથી, પોલીસ આરોપીઓને કડક સજા અપાવવા મજબૂત પુરાવા કોર્ટમાં રજૂ કરશે: સુરત પોલીસ કમિશ્નર
સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાના બનાવમાં સુરત પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 28 આરોપીને પકડી લેવાયા ઘટના સંદર્ભેમાં 3 ગુના નોંધાયા જે સગીરો છે. રવિવારે રાતે સૈયદપુરામાં ગણેશ પંડાલ પર રાત્રે થયેલા પથ્થરમારાની ઘટના બાદ હાલ શાંતિનો માહોલ છે.
આ દરમિયાન સુરતના પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી જેમા જણાવ્યું હતું કે પથ્થરમારાની ઘટનામાં સામેલ સગીર પથ્થરબાજો હતા જે ઘટનાથી થોડા જ અંતરે દૂર રહે છે. તેમણે કહ્યું કે ચાલુ રિક્ષામાંથી પણ પથ્થર ફેંકવામાં આવ્યા હતા અને આટલી દુરથી કોઇ બાળકો આવી ના શકે જેથી સગીરોને ઉશ્કરણી કરનારા તત્વોની શોધખોળ કરાઇ રહી છે. આ ઘટનામાં ત્રણ ગુના નોંધાયા છે અને 28 આરોપીની ધરપકડ કરાઇ છે.
28 આરોપીની ધરપકડ
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારા આરોપીઓને સવાર થતાં સુધીમાં જ પોલીસે પકડી લીધા છે અને લઘુમતિ સમાજનું ટોળુ ભેગુ થયું હતું અને પોલીસ તત્કાળ પહોંચી ગઇ હતી. ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરાયો હતો અને ટિયરગેસના સેલ પણ છોડાયા હતા. કોમ્બિગ કરીને 28 આરોપીને પકડી લેવાયા છે.
ઘટના સંદર્ભે 3 કેસ નોંધાયા
રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ઉપર થયેલા હુમલાની કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે આ ઘટના સંદર્ભે અલગ અલગ 3 ગુના નોંધાયા છે જેમાં સરકાર તરફથી પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઘટના પાછળ કાવતરું છે તેની તપાસ થાય છે
આરોપીઓ વિરૂદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. ગત રોજ પોલીસ કંટ્રોલ રૂમને 13 જેટલા ફેક કોલ આવ્યા હતા. જેની ખરાઈ કરવામાં આવી હતી. સગીરોને ઉશ્કેરણી કરનારા તત્વોની શોધખો કરાઇ રહી છે. આ ઘટના પાછળ કોઈ કાવતરું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. ચાલુ રિક્ષામાંથી ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, જે ઘટના પાછળ મુખ્ય કાવતરાખોર કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનામાં છ સગીર વયના બાળકો છે. જે 12 થી 13 વર્ષની ઉમરના છે. આ તમામ બાળકો અભ્યાસ કરે છે.
આરોપીઓને સજા અપાવવા મજબૂત પુરાવા કોર્ટમાં પેશ કરશે
પોલિસ કમિશ્નરે કહ્યું કે નિર્દોષ લોકોની કોઈ ધરપકડ કરાઈ નથી. પોલીસ આરોપીઓને કડક સજા અપાવવા મજબૂત પુરાવા કોર્ટમાં પેશ કરશે. પોલીસના જવાનો અને અન્ય વ્યક્તિઓને ઘટનામાં ઈજા થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે નાગરિકોને અફવા પર ધ્યાન ના આપવા અપીલ કરતાં કહ્યું કે જુના વીડીયો કે સ્ટોરી સોશિયલ મીડિયામાં અપલોડ ના કરશો.