આવતા અઠવાડિયે વડાપ્રધાન મોદી પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો બહાર પાડવા જઈ રહ્યા છે. આ નાણાં 18 જૂને ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે
PM KISAN YOJANA: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ લીધા બાદ તરત જ કિસાન સન્માન નિધિનો હપ્તો જાહેર કરવા સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. હવે ખેડૂતોના ખાતામાં 17માં હપ્તાના પૈસા ક્યારે આવશે તે અંગે માહિતી સામે આવી છે.
આવતા અઠવાડિયે વડાપ્રધાન મોદી પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો બહાર પાડવા જઈ રહ્યા છે. આ નાણાં 18 જૂન (મંગળવારે) ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. આજથી ત્રણ દિવસ બાદ, પાત્ર ધરાવતા ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે. જો તમે પણ કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજના માટે પાત્ર છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે.
કેન્દ્રમાં સતત ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ વડાપ્રધાન મોદી 18 જૂને પહેલીવાર તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે. એક દિવસીય મુલાકાત દરમિયાન, વડાપ્રધાન ખેડૂતોના સંમેલનને સંબોધિત કરશે અને 17મો હપ્તો બહાર પાડશે. આ અંતર્ગત 9.3 ખેડૂતોના ખાતામાં રૂ. 20,000 કરોડ ટ્રાન્સફર કરવામાં આવશે.
PM કિસાન યોજના 1 ડિસેમ્બર 2018ના રોજ શરૂ થઈ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM કિસાન નિધિ) કેન્દ્ર સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજના છે. તેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે છે. આ યોજના 1 ડિસેમ્બર 2018ના રોજ શરૂ થઈ હતી. આ વિશ્વની સૌથી મોટી યોજનાઓ પૈકીની એક છે જેનો સીધો ફાયદો ખેડૂતોને થાય છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને ખેતી માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના દ્વારા, પાત્ર જમીન ધરાવતા ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ. 6,000 ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ નાણાં સમગ્ર વર્ષ દરમિયાન પ્રત્યેક રૂ. 2,000ના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.