મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે, મારી આખી સ્પીચ સાંભળી હશે તે વિરોધ નહીં કરે
પાટીદાર દીકરી પર આપેલા નિવેદન બાદ કાજલ હિન્દુસ્તાનીની પ્રતિક્રિયા
કાજલ હિંદુસ્તાની દ્વારા પાટીદાર દીકરીઓ ઉપર કરવામાં આવેલ વિવાદીત નિવેદન બાદ પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાજલ હિન્દુસ્તાની ઉપર પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને જાહેરમાં માફી માંગવાની પણ વાત કરવામાં આવી છે. ત્યારે હવે વિવાદીત નિવેદન બાદ કાજલ હિન્દુસ્તાનીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે જણાવ્યું કે, મેં જે પણ કહ્યું છે તે સત્ય છે, કેટલાક લોકો રાજકીય રોટલા શેકવા વિરોધ કરી રહ્યા છે. 50 મીનીટનાં વીડિયોમાં થી 5 મીનીટનો વીડિયો વાઈરલ કરવામાં આવી રહ્યો છે.
12 મહિના પહેલા સુરતમાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજનું આયોજન હતું. તે સમયે જે ઘટના હતી તેમાં પાટીદાર મહીલાઓને લઈને જ આયોજન કરાયું હતું. જેમાં પાટીદાર ભાઈઓએ આમંત્રણ આપ્યું હતું અને વિષય લવજેહાદ આપ્યો હતો અને કહ્યું હતું કે જે તે ઘટનાક્રમ બનતા હોય તે સમક્ષ મુકજો જેથી સમાજમાં જાગૃતતા આવે. અને આ 5-10 સેકન્ડનો નહીં પણ આ 50 મીનીટનો વીડિયો છે જેમાં દરેક સમાજના જે જે વિષયો આવ્યો લવજેહાદનાં તે મે મુક્યા છે. લવજેહાદનાં મુદ્દાને એ લોકો પાટીદાર સમાજનો મુદ્દો બનાવે છે. જે લોકો આને ઉશ્કેરી રહ્યા છે તે કોંગ્રેસીયાઓ અને આપિયાઓ છે. કેટલાક લોકો રાજકીય રોટલા શેકવા વિરોધ કરી રહ્યા છે.
વધુમાં કહ્યું કે, પાટીદારો પર અનેક હુમલા થયા ત્યારે આ પાટીદારો કેમ ચૂપ થઇ ગયા? મારે એ પ્રશ્ન છે કે જ્યારે મહેશભાઈ પટેલની હત્યા ગયા વર્ષે અનંત મન્સુરીએ કરી ત્યારે તે લોકોને
સમાજની ચિંતા નતી. નેહાબેન પટેલ ગૌરક્ષક પર સતત કસાઈઓ હમલો કરે છે ત્યારે તેનાં જ સમાજની દિકરીની એ લોકોને ચિંતા નથી થતી. કેમ નેહાબેન પટેલ માટે અવાજ નથી ઉઠાવ્યો. જુનાગઢનાં ચૂડામાં જીવતીબેન વાછાણીને સલીમ દિલાવરે મારી નાખી, એની જગ્યા ઉપર ગેરકાયદેસર મદરેસા બનાવવા માટે, ત્યારે આ જાતિવાદી ઠગ લોકો ક્યા ગયા હતા. આ 4-5 જાતિવાદી ઠગ કંઈ સમાજના રિપ્રેજન્ટેટીવ નથી.
કોંગ્રેસની વોટબેંક જ જેહાદીઓ છે, એટલે આ કાવતરૂ કર્યુ છે. ચૂંટણી સમયે જ આ લોકો વિરોધ કરી રહ્યાં છે. જાતિવાદી ઠગોને પટેલ સાથે કોઇ લેવા દેવા નથી. આ લોકોના કહેવાથી અમને કંઇ ફેર પડતો નથી. અમે બધા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું કામ કરી રહ્યા છે અને અમે ભારતમાં લવજેહાજનું કામ કરી રહ્યા છે એમા 4-5 જાતિવાદ ઠગ જેનું વોટબેંક જ જેહાદી છે, એટલે પોતાનાં વોટબેંકને ખુશ કરવા આ આક્ષેપો કરે છે. તેમને કે હિંમત છે લવજેહાદના વિરુદ્ધ બોલવાની? કોઈ દિવસ બચાવી છે કોઈ સમાજની દિકરીને લવજેહાદથી?
કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે, મારી આખી સ્પીચ સાંભળી હશે તે વિરોધ નહીં કરે. આ એ પાટીદાર લોકો છે જે કોંગ્રેસ અને AAPના ઠેકેદાર બનીને બેઠા છે. મારો આ વિરોધ કરે છે તેમને પુછવું છે, શું તમે લવજેહાદને માનો છો કે નહીં ? જો તમે લવજેહાદને માનતા હોય તો તમે વિરોધ ન કરો. વધુમાં ઉમેર્યું કે, જો તમે માનો છો કે આવુ કશુ થતું જ નથી, તો મતબલ તમે કનવર્ટ થઇ ગયા છો, તમે પાટીદાર નથી. તમારામાં કેમ લવજેહાદીઓ સામે બોલવાની હિંમત નથી.