પૃથ્વી ઝૂકેલી હોવાના કારણે દિવસ રાત લાંબા ટૂંકાની ઋતુઓ બને છે
સૌથી લાંબી રાત્રી રાજકોટમાં 13 કલાક 14 મિનિટની હશે
અમદાવાદ: પૃથ્વી 23.5 અંશે ઝુકેલી હોવાના કારણે 22 ડિસેમ્બરે શુક્રવારનો દિવસ ટૂંકો અને લાંબામાં લાંબી રાત્રીનો અનુભવ થશે. પૃથ્વી ઝૂકેલી હોવાના કારણે દિવસ રાતમાં લાંબા અને ટૂંકા ફેરફાર અને ઋતુઓ ઉત્પન્ન કરવામાં કારણભૂત રહે છે. સુરજ ઉત્તર દિશા તરફ આગળ વધે છે જેને ઉતરાયણ કહેવામાં આવે છે. પૃથ્વીની ધરી સીધી હોત તો દિવસ અને રાત 12 કલાકની બને છે. ભારત જન વિજ્ઞાન જાથા કેવા પ્રમાણે શુક્રવારે રાજકોટમાં સૌથી લાંબી રાત્રી 13 કલાક અને 14 મિનિટની સૌથી લાંબી રાત્રી લોકોને અનુભવ કરશે.
એડવોકેટ જયાંત પંડ્યાએ વિવિધ શહેરોના રાત્રીના ફેરફારો વિશે જણાવ્યું કે અમદાવાદમાં રાત્રી 13 કલાક 17 મિનિટ 11 સેકન્ડ, રાજકોટ રાત્રી 13 કલાક 14 મિનિટ 11 સેકન્ડ, જૂનાગઢમાં રાત્રી 13 કલાક 11 મિનિટ 5 સેકન્ડ, દ્વારકામાં રાત્રી 13 કલાક 13 મિનિટ 39 સેકન્ડ, મુંબઈમાં રાત્રી 13 કલાક એક મિનિટ 27 સેકન્ડ, ઉજ્જૈનમાં રાત્રી 13 કલાક 36 મિનિટ 7 સેકન્ડ, કાશ્મીરમાં રાત્રિ 13 કલાક 43 મિનિટ 56 સેકન્ડ, કન્યાકુમારીમાં રાત્રી 12 કલાક 21 મિનિટ 9 સેકન્ડ લાંબી રાત્રી નો લોકોનો અનુભવ થશે.
23મી શનિવારથી રાત્રી ક્રમશઃ ટોકી અને દિવસ લાંબો થશે. પૃથ્વીનો ઝુકાવ સૂર્યને પરિભ્રમણ ગતિ, સૂર્ય હોય છે તો દક્ષિણ ગોળાર્ધમાં તે પૃથ્વી તરફ ગતિ કરે છે. જેથી નાના મોટા શહેરોમાં સામાન્ય મિનિટોનો તફાવત જોવા મળે છે.
પૃથ્વી ની 23.5 ઝૂકેલી ધરીને કારણે પૃથ્વી પર ઋતુઓ ઉત્પન્ન થાય છે અને ધ્રુવ પ્રદેશો પર છ છ મહિના દિવસ અને રાત જોવા મળે છે. પૃથ્વીના ગોળા ઉપર ઊંચે અક્ષાંશએ બારમાસ ઠંડી રહે છે તો બારેય માસ બરફ છવાયેલો રહે છે.
સુરજ તેના આકાશના વિતરણમાં ઉત્તર ગોળાર્ધમાં 23.5 અક્ષાંશ સુધી જાય છે અને પછી ત્યાંથી પાછો ફરે છે. 23.5 અંશ ઉત્તર અક્ષાંશને ઓળખતો નથી. પૃથ્વી પર 23.5 ઉત્તર અક્ષાંશને કર્કવૃત કહે છે. મકરવૃત્ત પૃથ્વી પરના 23.5 દક્ષિણ અક્ષાંશને કહે છે.