ભોપાલ ગેસ દુર્ઘટના: 39 વર્ષ પછી પણ હજુ સુધી ન્યાય મળ્યો નથી

Bhopal-gas-tragdy-1984

સત્તાવાર રીતે મૃત્યુઆંક 2259 હતો લોકોના અંદાજે પ્રમાણે 20 થી 25 હજાર મૃત્યુ પામ્યા હતા અને પાંચ લાખથી વધુ લોકો પ્રભાવિત થયેલાને શ્વાસની સમસ્યાઓ, અંધત્વ, કેન્સર અને સ્ત્રીરોગ સંબંધી સમસ્યાઓથી પીડાઇ રહ્યા છે

મધ્યપ્રદેશની તત્કાલીન સરકારે ગેસના કારણે મૃત્યુ પામેલા 3787 લોકોની પુષ્ટિ કરી હતી. સત્તાવાર મૃત્યુઆંક 2259 હતો.

8 હજાર લોકો બે અઠવાડિયામાં મૃત્યુ પામ્યા હતા. લીક થયેલા ગેસથી પ્રભાવિત લોકો સંબંધિત રોગોથી મૃત્યુ પામ્યા હતા.
2006માં સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં સ્વીકારવામાં આવ્યું હતું કે લગભગ 558,125 લીકથી સીધી અસર પામ્યા હતા અને આંશિક રીતે અસરગ્રસ્ત લોકોની સંખ્યા લગભગ 38,478 હતી. 3900 ખરાબ રીતે પ્રભાવિત થયા હતા અને સંપૂર્ણપણે અક્ષમ બન્યા હતા.

39 વર્ષ પછી  ગેસના સંપર્કમાં આવેલા લોકોએ શારીરિક અને માનસિક રીતે અક્ષમ બાળકોને જન્મ આપે છે

39 વર્ષ પહલા ભોપાલ ગેસ દુર્ઘટનાએ સમગ્ર વિશ્વના ઔદ્યોગિક ઇતિહાસમાં સૌથી મોટી દુર્ઘટના માનવામા આવે છે. 3, ડિસેમ્બર, 1984ના રોજ મધ્યપ્રદેશના ભોપાલમાં મોડી રાત્રી પછી સવારે યુનિયન કાર્બાઈડ કેમિકલ ફેક્ટરીમાંથી નીકળેલો 30 ટન મિથાઈલ આઈસોસાયનેટ (MIC) નામનો ઝેરી ગેસ લીક થયો હતો. તે જંતુનાશક પ્લાન્ટ શેન્ટીટાઉન્સથી ઘેરાયેલો હતો જેના કારણે હજારોથી વધારે લોકો જીવલેણ ગેસના વાદળોના સંપર્કમાં અવ્યા હતા. જેના લીધે ઝેરી ગેસની ચપેટમાં આવેલા હજારો લોકોના જીવ લીધા હતા. ભોપાલમાં આવેલો કેમિકલ પ્લાંટ છ સુરક્ષા પ્રણાલીઓથી સજ્જ હતો. જે લીકને શોધવા માટે બનાવ્યો હતો. જેમાંથી તે કોઈપણ રાત્રે કાર્યરત ન હતું.

એક એન્જિનિયર MIC ઉત્પાદન પરિસરમાં એક ખરાબ કોરોડેડ પાઈપના માધ્યમથી પાણીને ફ્લશ કરીને નીકાળી રહ્યા હતા. ત્યારે વાલ્વોની શ્રેણી નિષ્ફળ ગઈ, જેનાથી પાણીની પ્રવાહી સ્થિતિમાં ઝેરી રસાયણને પકડી રાખતી હતી અને ત્રણ માળાની ટાંકીઓમાંથી એકમાં મુક્તપણે વહેતું થઈ ગયું. આનાથી ઝડપી અને હિંસક પ્રતિક્રિયા થઈ. ટાંકી તેના કોંક્રિટ અવરણમાં વિખેરાઈ ગઈ અને MIC, હાઈડ્રોજન સાયનાઈડ, મોનોમેથાઈલમાઈન અન્ય રસાયણોનો એક ઘાતક વાદળોને બનાવીને ફેંકી દીધા જેનાથી બધા જમીન ઉપર ચોંટીગયા અને ઝેરી ગેસના વાદળોથી મોટા ભાગે ભોપાલને ઢાંકી દેતાં લોકોના મૃત્યુ થવા લાગી હતી.

ટાંકી તેના કોંક્રિટ અવરણમાં વિખેરાઈ ગઈ

આ દુર્ઘનટનામાં હેમખેમ બચી ગયેલા અઝીઝા સુલતાન નામના વ્યક્તિ યાદ કરીને ધ ગાર્ડિયનમાં કહે છે કે “બપોરે 12:30 વાગે હું મારા બાળકની ખાંસીનો અવાજ સાંભળીને ઉઠી ગયો. મેં અડધા પ્રકાશમાં જોયું તો મારા ઘરની ઓરડી ઝેરીલા ગેસના સફેદ વાદળોથી ભરેલી હતી. “મેં ઘણા લોકોને બૂમો પાડતા સાંભળ્યા અને તેઓ બૂમો પાડી રહ્યા હતા. દોડો-દોડો’, તે કહિ રહ્યા છે. ત્યાર બાદ મને ખાંસી આવવા લાગી હતી શ્વાસ સાથે એવું લાગતું હતું કે જાણે હું અગ્નિમાં શ્વાસ લઈ રહ્યો છું. મારી આંખો બળી રહી હતી.

ઝેરી ગેસથી લોકોને આંખોમાં અને શરીરમાં જાણે કોઈએ મરચાથી ભરી દીધું ન હોય તેવું લાગતું હતું. શ્વાસ લેવામાં તકફલી પડતી હતી. મોઢાની અંદર ફેણ આવી ગાય હતા. ખાંસી એટલી ખરાબ હતી કે લોકોને ખાંસીની પીડામાં તડપી રહ્યા હતા. લોકોને માત્ર એજ ચિંતા હતી કે તેઓ પોતાનો જીવ કેવી રીતે બચાવશે તેથી તેઓ દોડ્યા. કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે. લોકો અત્યંત ભયાનક રીતે મરવા લાગ્યા. કેટલાક અનિયંત્રિત પણે ઉલટી કરી રહ્યા હતા. આંચકીમાં અને ગૂંગળમાં મૃત્યુ પામ્યા.ભયના કારણે લોકોએ સાંકડી ગલીઓમાં દોડમભાગ કરવામાં મૃત્યુ પામ્યા હતા. એક બીજાના પરીવરો વેરવીખેર થઈ ગયા હતા.

MIC ઉપયોગ જંતુનાશક દવા બનાવવામાં થતો હતો

મિથાઈલ આઈસોસાયનેટ કેમિકલ (MIC) નામનો ઉપયોગ જંતુનાશક દવા બનાવવામાં થતો હતો. જો શ્વાસમાં લેવામાં આવે તો તે ખૂબ જ ઘાતક રોધક સાબીત થાય છે. જુદા સ્ત્રોતોના અને દરેકના પોતાના મંતવ્યો હોવાને કારણે મૃત્યુઆંકના અંદાજમાં તફાવત છે. હજુ સુધી અગાઉ સત્તાવાર મૃત્યુઆંક 2259 હતો. લોકોના અંદાજે પ્રમાણે 20,000 થી 25,000 લોકો મૃત્યુ પામ્યા હતા અને અંદાજે પાંચ લાખ બચી ગયેલા લોકોને શ્વાસની સમસ્યાઓ, અંધત્વ અને અન્ય સ્વાસ્થ્ય જેવુ કે કેન્સર અને સ્ત્રીરોગ સંબંધી સમસ્યાઓથી પીડાય છે.

રશીદા બીબી કહે છે કે એક હું બચી ગયેલી વ્યક્તિ કે જેણે છેલ્લા ત્રણ દાયકામાં તેના પરિવારના પાંચ સભ્યોને વિવિધ પ્રકારના કેન્સરથી ગુમાવ્યા છે. જે લોકો તેમના જીવનથી બચી ગયા તેઓ “પોતાને કમનસીબ” માને છે. તે કહે છે કે ભાગ્યશાળી લોકો એ છે જેઓ દુર્ઘટનાની રાત્રે મૃત્યુ પામ્યા છે.

કોઈ નથી જાણતો હકિકતમાં કેટલા હજારો લોકો મૃત્યુ પામ્યા છે. યુનિયન કાર્બાઇડે આ સંખ્યા 3,800 બતાવે છે. મ્યુનિસિપલ કામદારો જેમણે મૃતદેહ એકત્રિત કર્યા તે સામૂહિક કબરોમાં દફનાવવામાં અને અંતિમ સંસ્કારની ચિતા પર સળગાવવા માટે લારીઓ ઉપર મૂકીને લઈ જવામાં આવતા હતા. તેઓ કહે છે કે ઓછામાં ઓછા 15 હજાર મૃતદેહને સંભાળ્યા હતા. દફનવિધિની સંખ્યાના આધારે બચી ગયેલા લોકો રૂઢિચુસ્ત દાવો કરે છે કે પહેલા અઠવાડિયામાં લગભગ 8 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. પરંતુ મૃત્યુ ક્યારેય અટક્યું નથી.

કાટ લાગેલી યુનિયન કાર્બાઇડે સાઇટને બંધ કરી દીધી

યુનિયન કાર્બાઇડે સાઇટને બંધ કરી દીધી. તેને ક્યારેય સાફ કરવામાં આવી નથી તેથી ઝેર ચાલુ રહ્યુ હતું. 1999માં સ્થળની નજીકના ભૂગર્ભજળ અને પાણીના કૂવાના પરીક્ષણમાં પારાના સ્તરો US એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી (EPA) દ્વારા સલામત તરીકે સ્વીકૃત કરતાં હોવાનું જણાયું હતું. પાણીમાં કેમિકલ્સ મળી આવ્યા હતા જે કેન્સર, મગજને નુકસાન અને જન્મજાત ખામીઓનું કારણ બને છે. ટ્રાઇક્લોરોઇથીન, ગર્ભના વિકાસને નબળો પાડવા માટે દર્શાવવામાં આવતું રસાયણ, EPA મર્યાદા કરતાં 50 ગણું વધારે સ્તરે જોવા મળ્યું હતું. 2002ના અહેવાલમાં પ્રકાશિત થયેલા પરીક્ષણમાં મહિલાઓના સ્તનપાનમાં ટ્રિક્લોરોબેન્ઝીન, ડિક્લોરોમેથેન, ક્લોરોફોર્મ, સીસું અને પારો જેવા ઝેર હોવાનું બહાર આવ્યું હતું.

2001માં મિશિગન સ્થિત ડાઉ કેમિકલ કંપનીએ યુનિયન કાર્બાઇડને ખરીદી તેની સંપત્તિ અને જવાબદારીઓ હસ્તગત કરી. જોકે ડાઉએ ભોપાલ સાઈટને સાફ કરવાનો સતત ઈન્કાર કર્યો છે. તેમ જ તેણે પીવાનું સલામત પાણી પૂરું પાડ્યું નથી, પીડિતોને વળતર આપ્યું નથી અથવા ભારતીય તબીબી સમુદાય સાથે MIC ની ઝેરી અસરો અંગેની કોઈપણ માહિતી શેર કરી નથી. ભોપાલના ડોકટરોએ જે ડેટાની વિનંતી કરી છે. અને તે કહે છે કે કટોકટીની સ્થાયી અસરોનો સામનો કરવા માટે તેઓને જરૂર છે, ડાઉએ ટ્રેડ સિક્રેટની જેમ વ્યવહાર કર્યો છે તેને અટકાવ્યો છે.

ઝેરી ગેસના દુર્ઘટના થોડા સમય ફરીનો યુનિયન કાર્બાઇડ પ્લાન્ટનો પ્રવેશ દ્વાર

1970ના દાયકામાં યુનિયન કાર્બાઇડે ફેક્ટરીનું નિર્માણ થયું

મધ્યપ્રદેશના ભોપાલમાં યુનિયન કાર્બાઇડે 1970ના દાયકામાં ફેક્ટરીનું નિર્માણ કર્યું હતું તે વિશ્વાસ સાથે ભારત જંતુનાશકો માટે એક વિશાળ બિનઉપયોગી બજારનું પ્રતિનિધિત્વ કરે છે. ક્યારેય વેચાણ કંપનીની અપેક્ષાઓને પૂર્ણ કરી શક્યું નથી. દુષ્કાળ અને પૂરનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહેલા ભારતીય ખેડૂતો પાસે યુનિયન કાર્બાઈડના ઉત્પાદનો ખરીદવા માટે નાણાંનો અભાવ હતો. દુર્ઘટના પહેલા 15 વર્ષ સુધી યુનિયન કાર્બાઇડે ફેક્ટરીની અંદર અને બહારની જગ્યાઓ પર અત્યંત ઝેરી રાસાયણિક કચરો ફેંક્યો હતો. હજારો ટન જંતુનાશકો, દ્રાવકો, રાસાયણિક ઉત્પ્રેરક અને પેદાશો છોડની અંદર છ હેક્ટર (16 એકર)માં ફેલાયેલા છે. ફેક્ટરીની બહાર 14 હેક્ટર વિસ્તારને આવરી લેતા બાષ્પીભવન તળાવો હજારો લિટર પ્રવાહી કચરાથી ભરેલા હતા. પ્લાન્ટ, જે ક્યારેય તેની સંપૂર્ણ ઉત્પાદન ક્ષમતા સુધી પહોંચી શક્યો ન હતો. 1980ના દાયકાની શરૂઆતમાં તેને બંધ કરી દેવામાં આવ્યું, જોકે મોટા જથ્થામાં ખતરનાક રસાયણો સાઇટ પર છોડી દેવામાં આવ્યા હતા.

1989માં યુનિયન કાર્બાઇડ દ્વારા કરવામાં આવેલા ગુપ્ત પરીક્ષણોમાં

યુનિયન કાર્બાઇડ પરીક્ષણોને ભોપાલ મેડિકલ અપીલ દ્વારા જોવામાં આવ્યાં હતાં. કંપનીએ તારણ કાઢ્યું હતું કે સ્થળ ઘાતક રીતે દૂષિત હતું. ઘણા સ્થાનો જ્યાં નમૂના લેવામાં આવ્યા હતા તે ફેક્ટરીની દિવાલની અંદર જ હતા. લોકોએ દિવાલની બીજી બાજુના કુવાઓ અને સ્ટેન્ડપાઈપ્સમાંથી પાણી ખેંચ્યું હતું. સ્ટીલની ત્રણ વિશાળ ટાંકીઓએ 60 ટનથી વધુ MIC રાખવાનું ચાલુ રાખ્યું. જો કે MIC ખાસ કરીને અસ્થિર ગેસ છે, યુનિયન કાર્બાઇડની વિસ્તૃત સલામતી પ્રણાલીઓને બિસમાર થવા અને બિનઅસરકારક બનવાની મંજૂરી આપવામાં આવી હતી. ફેક્ટરીના સંચાલકોનો તર્ક એવો હતો કે ઉત્પાદન બંધ થઈ ગયું હોવાથી કોઈ ખતરો નથી.

ભૂગર્ભજળ તરત જ માછલીઓને મારી નાખે છે. ચોમાસામાં સડી રહેલા છોડને નુકસાન પહોંચાડ્યું વરસાદને કારણે રાસાયણિક-કચરાના બાષ્પીભવન તળાવો ઓવર ફ્લો થઈ ગયા. ઝેર જમીનમાં ઘૂસી જાય ભૂગર્ભ લીચ કરે છે. કુવાઓમાંથી દૂષિત પાણી બાજૂના વિસ્તારમાં પમ્પ કરવામાં આવ્યું હતું. સાઇટની ઝેરીતાના નિર્વિવાદ પુરાવા હોવા છતાં યુનિયન કાર્બાઇડે સ્થાનિક લોકોને જાણ ન કરવાનું પસંદ કર્યું કે પાણી અસુરક્ષિત છે. તે સમુદાયના લોકો પર નૂકશાન કરે છે.

1989માં યુનિયન કાર્બાઇડ દ્વારા કરવામાં આવેલા ગુપ્ત પરીક્ષણોમાં જેનાં પરિણામો પછીથી ભોપાલ મેડિકલ અપીલ દ્વારા કંપનીએ તારણ કાઢ્યું હતું કે સ્થળ ઘાતક રીતે દૂષિત હતું. ભૂગર્ભજળ તરત જ માછલીઓને મારી નાખે છે. ઘણા સ્થાનો જ્યાં નમૂના લેવામાં આવ્યા હતા તે ફેક્ટરીની દિવાલની અંદર જ હતા લોકોએ દિવાલની બીજી બાજુના કુવાઓ અને સ્ટેન્ડપાઈપ્સમાંથી પાણી ખેંચ્યું હતું.

ભોપાલમાં યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી હજારો લોકો માર્યા ગયેલા ઝેરી ગેસ લીકને પગલે પીડિતોના મૃતદેહોને લાઇનમાં દર્શાવેલા 17 ડિસેમ્બર 1984 ના રોજ લેવાયેલ આ ફોટોગ્રાફ છે.

ભારત સરકાર સાથે યુનિયન કાર્બાઇડ 1989માં વળતર ચુકવા સંમત

આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટમાં પીડિતોને વળતર તરીકે $470 મિલિયન ચૂકવવા સંમત થયા હતા. વાતચીત દરમિયાન પીડિતોની જાતે સલાહ લેવામાં આવી ન હતી અને 10માંથી 9 વધુમાં વધુ $500 મળ્યા હતા. આપત્તિનો ભોગ બનેલા લોકો એક જોખમી અસ્તિત્વને બહાર કાઢે છે. 50,000 થી વધુ ભોપાલીઓ તેમની ઇજાઓને કારણે કામ કરી શકતા નથી. ઘણાનો કોઈ પરિવાર જ બચ્યો નથી.

1991માં વોરેન એન્ડરસન દોષિત ઠેરવવામાં આવ્યા

1991માં ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીએ આપત્તિ સમયે યુનિયન કાર્બાઇડના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ વોરેન એન્ડરસન પર “ગુનેગાર માનવહત્યા તે હત્યા સમાન નથી” એવો આરોપ મૂક્યો હતો. જો તેને ભારતમાં દોષિત ઠેરવવામાં આવ્યો હોત તો તેને વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા થઈ હોત એન્ડરસને ક્યારેય ટ્રાયલમાં ઉભા થયા નથી. ભારતીય પ્રત્યાર્પણની વિનંતી સાડા ત્રણ વર્ષ સુધી અમેરિકાની અદાલતોમાં અધિકારીઓના જવાબ વિના અટકી પડી પડ્યુ હતું.

યુનિયન કાર્બાઇડના ચેરમેનો મૃત્યુ

ભોપાલ ગેસ દુર્ઘટનાના મુખ્ય આરોપી વોરેન એન્ડરસન હવે નથી રહ્યા

સપ્ટેમ્બર 2014માં ભોપાલ ગેસ દુર્ઘટનાની 30મી વર્ષગાંઠના થોડા જ મહિના પહેલા યુનિયન કાર્બાઇડના ચેરમેન અને ચીફ બ્રુકલિન સુથારના પુત્ર એન્ડરસનનું 92 વર્ષની ઉમરે અમેરિકાના વેરો બીચ ફ્લોરિડામાં એક નર્સિંગ હોમમાં અવસાન થયું હતું.

યુનિયન કાર્બાઇડ પર દોષિત હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારે કોર્પોરેશને ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ભારતમાં ટ્રાયલનો સામનો કરવાનો ઇનકાર કર્યો હતો જેથી આરોપો ક્યારેય ઉકેલાયા નથી.

એન્ડરસનની 6 ડિસેમ્બર, 1984ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, 7 ડિસેમ્બરે, તેમને સરકારી વિમાન દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા અને ત્યાંથી તેઓ અમેરિકા ગયા. આ પછી એન્ડરસન ક્યારેય ભારત પાછો ફર્યો નહીં

યુનિયન કાર્બાઈડ અને ડાઉ મર્જ થયા

ડાઉએ યુનિયન કાર્બાઈડ પાસેથી 2001માં કબજો લીધો હતો. નિયમ નકારોને સુપરત કરાયેલા કરારમાં યુનિયન કાર્બાઈડ સામે બાકી ફોજદારી કેસોનો ઉલ્લેખ છોડી દેવામાં આવ્યા છે. યુનિયન કાર્બાઇડની સતત ગેરહાજરીને સમજાવવા માટે ડાઉને ઓછામાં ઓછા છ વખત ભોપાલમાં કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા તેણે બઘી છ નોટિસની અવગણના કરી હતી. નિયન કાર્બાઇડ તેના કારણે થયેલા પર્યાવરણીય વિનાશ માટે જવાબદાર છે. 1989ના સમાધાનમાં પર્યાવરણીય નુકસાનને ધ્યાને લેવામાં આવ્યું ન હતું અને દૂષણ સતત ફેલાતું રહે છે.

ભોપાલ ગેસ દુર્ઘટના કેસમાં 6 જાન્યુઆરી સુનાવણી થશે

ભોપાલ ગેસ દુર્ઘટના કેસમાં ભોપાલ કોર્ટમાં ડાઉ કેમિકલ્સ કંપની વિરુદ્ધ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી પૂરી થયા બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 6 જાન્યુઆરી 2024ના રોજ થશે. કોર્ટ દ્વારા જારી કરાયેલી નોટિસના જવાબમાં કંપનીના વકીલે કહ્યું કે આ મામલો ભોપાલ કોર્ટના કાર્યક્ષેત્રમાં આવતો નથી.

કંપનીના વકિલે કોર્ટમાં આપ્યો જવાબ

ભોપાલ કોર્ટમાં અરજી આપવામાં આવી હતી. આ અરજી CBI અને ભોપાલ ગ્રુપ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ એક્શન સાથે ગેસ પીડિત સંગઠન દ્વારા આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે યુનિયન કાર્બાઇડ યુએસએ ધ ડાઉ કેમિકલ કંપની દ્વારા ખરીદવામાં આવી છે. હવે તેનું નવું નામ ધ ડાઉ કેમિકલ કંપની થઈ ગયું છે. આવી સ્થિતિમાં તેને પણ આ કેસમાં આરોપી બનાવવો જોઈએ.

ભોપાલમાં ગાંધી મેડિકલ કોલેજ


8 જૂન, 2010 ના રોજ ભોપાલમાં ગાંધી મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગમાં 1984 ની ભોપાલ ગેસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હજારો લોકોમાંથી કેટલાકના ફોટોગ્રાફ્સની પેનલ પ્રદર્શિત કરતી વખતે એક કાર્યકર ધૂળ સાફ કરી રહ્યો છે.