ધનતેરસનાં દિવસે દેશભરમાં 27000 કરોડ રુપિયાનું સોનું અને 400 ટન ચાંદીનું વેચાણ થયું

gold

પાંચ દિવસીય દિવાળી પર્વનો આજથી પ્રારંભ થયો છે. ધનતેરસથી શરૂ થયેલા પાંચ દિવસીય દીપોત્સવ (ને લઈને બજારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધનતેરસના દિવસે સોનું અને ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. આ દિવસે વાહનો, સોના-ચાંદીના દાગીના, સાવરણી સાથે વાસણો, રસોડાના ઉપકરણો, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદી પણ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે આ વખતે બજારમાં પહેલેથી જ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હીના જથ્થાબંધ બજારો ચાંદની ચોક, દરિબા કલાન, માલીવાડા, સદર બજાર, નયા બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

ધનતેરસના દિવસે સોના અને ચાંદીની ખરીદી માટે જ્વેલર્સને ત્યાં સવારથી જ ભીડ લાગેલી જોવા મળી હતી. ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ આપેલી માહિતિ મુજબ દેશભરમાં 27 હજાર કરોડ રૂપિયાનું સોનુ અને વેચાઈ ચૂક્યું છે. ચાંદીની વાત કરીએ તો અત્યાર સુધીમાં 3 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ ચૂક્યો છે.

દેશભરમાં સોના ચાંદીના વેપારના અનુમાનિત આંકડા મુજબ ધનતેરસ પર 41 ટન સોનુ અને 400 ટન ચાંદીના ઘરેણા અને સિક્કાઓનું વેચાણ થઈ ગયું છે. દેશમાં લગભગ 4 લાખ જેટલા નાના મોટા જ્વેલર્સ છે કે જેમાંથી 185000 તો બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ માન્યતા પ્રાપ્ત છે. 225000 નાના જ્વેલર્સ જો કે હજુ બીઆઈએસ માન્યતા પ્રાપ્ત નથી કેમકે તે એવા નાના વિસ્તારથી આવે છે. એક આંકડા પ્રમાણે તો સોનુ 800 ટને અને ચાંદી 4000 કિલો વિદેશમાંથી આયાત કરવામાં આવે છે.

દેશમાં આશરે ચાર લાખ જેટલા નાના-મોટા જ્વેલર્સ છે કે જેમાંથી 1,85,000 તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ માન્યતા પ્રાપ્ત છે. 2,25,000 નાના જ્વેલર્સ છે, જેમને હજુ BIS માન્યતા પ્રાપ્ત નથી, કેમ કે તેA નાના વિસ્તારમાં આવેલા છે. દેશમાં પ્રતિ વર્ષ સોનું 800 ટન અને ચાંદી 4000 કિલો વિદેશમાંથી આયાત કરવામાં આવે છે.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અનુસાર, દેશભરમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો છે. જેમાંથી 30 હજાર કરોડનો વેપાર માત્ર સોના-ચાંદીમાં જ થયો હતો. દિલ્હીના બુલિયન માર્કેટમાં સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે દોઢ ગણા વધુ ગ્રાહકો છે. તેથી વેચાણ પણ જબરદસ્ત થઇ રહ્યું છે. કેટના રાષ્ટ્રિય અધ્યક્ષ બીસી ભરતિયા અને નેશનલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલના જણાવ્યા અનુસાર ધનતેરસના દિવસે શ્રી ગણેશ જી, શ્રી લક્ષ્મીજી, શ્રી કુબેર જીની મૂર્તિઓ અથવા ચિત્રોની ખરીદી કરવામાં આવી રહી છે.

ગયા વર્ષની વાત કરીએ તો ધનતેરસ પર આ જ બિઝનેસ 25 હજાર કરોડ રૂપિયા પર પોહચ્યો હતો. ગયા વર્ષે તો સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 52000 રૂપિયા હતો જે આ વખતે પ્રતિ 10 ગ્રામ 62 હજાર સુધી પોહચ્યો હતો. ચાંદી 58 હજાર પરથી 72 હજાર પ્રતિ કિલો એ પોહચી ગઈ. આ વર્ષે સોના ચાંદીનો વેપાર જ 30 હજાર કરોડને પાર કરી ગયો છે.