સેનાના 23 જવાનો સહિત સેંકડો લોકો ગુમ, 3,000થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા
સિક્કિમમાં મંગળવારે સવારે લગભગ 1.30 વાગ્યે બનેલી વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે 26 લોકો ઘાયલ થયા છે. સેનાના 22 જવાનો સહિત 102 લોકો હજુ પણ ગુમ છે.
ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર વાદળ ફાટવાના કારણે બુધવારે તિસ્તા નદીના બેસિનમાં અચાનક પૂર આવ્યું. સિક્કિમ સરકારે બુધવારે પુષ્ટિ કરી કે બુધવારે વહેલી સવારે સિક્કિમમાં આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. આ તમામ લોકો સામાન્ય નાગરિકો છે. આ પૂરમાં અત્યાર સુધીમાં સેનાના 23 જવાનો સહિત 102 લોકો ગુમ છે અને 26 લોકો ઘાયલ છે. 3,000થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા છે. ચુંગથાંગમાં તિસ્તા સ્ટેજ 3 ડેમ પર કામ કરી રહેલા 12-14 મજૂરો હજુ પણ ડેમની ટનલમાં ફસાયેલા છે.
પૂરના કારણે અનેક રસ્તાઓ અને પુલ પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયા છે. રાજ્યમાં સંચાર વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે જેના કારણે મુશ્કેલીઓ વધી ગઈ છે. ગંગટોકથી લગભગ 73 કિલોમીટર દૂર ઉત્તર ચીન સરહદને અડીને આવેલ ગ્લેશિયર લેક લોનાક પહેલેથી જ ભરાઈ ગયું હતું. બે દિવસથી વરસાદ પડી રહ્યો હતો. મંગન જિલ્લાના ચુંગથાંગ અને ગંગટોક જિલ્લાના ડિક્ચુ, સિંગતમ અને પાક્યોંગ જિલ્લાના રંગપોમાં ઘાયલ અને ગુમ થયેલા લોકોના અહેવાલ છે.
હવામાન અનુકૂળ બનશે, ત્યારે NDRF ટીમને હવાઈ માર્ગે ચુંગથાંગ પહોંચશે અને ત્યારબાદ રાજ્યમાં ફસાયેલા પ્રવાસીઓને પણ બહાર કાઢવામાં આવશે. તેમની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજાઈ હતી. સિક્કિમના મુખ્ય સચિવ વીબી પાઠકે પણ આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. જેમાં અચાનક પૂરના કારણે થયેલા નુકસાન તેમજ રાહત અને બચાવ કાર્યની ચર્ચા કરવામાં આવી હતી.
વૈજ્ઞાનિકોને આશંકા છે કે નેપાળમાં આવેલા ભૂકંપના કારણે સિક્કિમનું લોહાંસ્ક તળાવ તૂટી ગયું છે. તેનો વ્યાપ ઘટાડીને એક તૃતીયાંશ કરવામાં આવ્યો હતો. જ્યારે વાદળ ફાટ્યું, ત્યારે તળાવ તેના મર્યાદિત વિસ્તારને કારણે એટલું પાણી રોકી શક્યું નહીં. જેના કારણે તિસ્તા નદીમાં પૂર આવ્યું હતું. નદીના જળસ્તરમાં 15 થી 20 ફૂટનો વધારો થયો છે. આ પછી નદીને અડીને આવેલા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. નદીને અડીને આવેલા વિસ્તારમાં આર્મી કેમ્પ હતો જે પૂરમાં તણાઈ ગયો હતો અને ત્યાં પાર્ક કરેલાં 41 વાહનો ડૂબી ગયાં હતાં.