જમ્મુ-કાશ્મીર હાઈ-વે પર ભુસ્ખલન : ઊંડી ખીણમાં ટ્રક ખાબકતા 4 લોકોનાં મોત

landslide

ભુસ્ખલનના કારણે હાલ હાઈવે બંધ કરી દેવાામાં આવ્યો છે.

આજે જમ્મુ-કાશ્મીરમાં રામબન જિલ્લાના શેરબીબી પાસેના હાઈ-વે પર ભુસ્ખલન થવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભુસ્ખલ થતા તેની ઝપેટમાં આવેલ એક ટ્રક ઊંડી ખીણમાં ખાબકી હતી . ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે તેમજ ટ્રકમાં લઈ જવાતા 6 પશુઓ પણ માર્યા ગયા છે. ટ્રક જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો. ભુસ્ખલનના કારણે હાલ હાઈવે બંધ કરી દેવાામાં આવ્યો છે.

વધુમાં જાણવા મળ્યું કે ટ્રક જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો તેમજ પોલીસ દ્વારા તુરંત બચાવ અભિયાન હાથ ધરાયું હતું. ટ્રકમાં સવાર તમામ ચારેય લોકોના મોત નિપજ્યા હતા. અધિકારીઓએ મૃતકોની ઓળખ કુલગામના ટ્રક ડ્રાઈવર અફજલ ગારુ (42), તેમના ભાઈ અલ્તાફ ગારૂ (36), અનંતનાગના ઈરફાન અહમદ (33) અને તેમના ભાઈ શૌકત અહમદ (29) તરીકે થઈ છે.

અધિકારીઓ કહ્યું કે, કાશ્મીરને દેશના અન્ય ભાગોને તમામ સિઝનમાં જોડતો આ એકમાત્ર હાઈવે છે. ભુસ્ખલનના કારણે હાઈવે પર મોટો અવરોધ ઉભો થયો છે. તેમણે કહ્યું કે, હાલ હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા ફરી શરૂ થાય તે માટેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.