શ્રાવણ માસમાં શિવ મહિમા -9 : શિવ ભોળાનાથના અર્ધનારીશ્વરના રૂપનો મહિમા

Shravan-Shiv

ચાંદ પર વિક્રમ લેન્ડરે દક્ષિણ ધ્રુવ સફળતા પૂર્વક ઉતરાણ કરી ભારતનો વિશ્વમાં ડંકો વગાડી દીધો. ત્યારે ભગવાન સદા શિવ ભોળાનાથ દેવાધિદેવ મહાદેવનો મહિમા- પવિત્ર શ્રાવણ માસ ચાલી રહયો છે ત્યારે જાણવા થોડો પ્રયત્ન ઉપાસના આરાધના અભિષેક રૂપ કરી રહ્યા છીએ.. ગઇકાલે શિવમહિમા ૦૮માં સદા શિવ ભોળાનાથના નંદિશ્વર અવતાર નો મહિમા જોયો.

એક ફોટામાં ભગવાન શિવ ભોળાનાથ દેવાધિદેવ મહાદેવનો અર્ધનારીશ્વરનો શણગાર જોવામાં આવ્યો ત્યારે કલમને થોડી તાલા વેલી થઈ કે આ અર્ધનારીશ્વર સ્વરૂપનું રહસ્ય શું છે તો આજે શ્રાવણ માસમાં શિવ મહિમા-૦૯ સદાશિવ ભોળાનાથના અર્ધનારી શ્વરના રૂપનો મહિમા”ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત દૈનિક ના માધ્યમ થી જાણવા પ્રયત્ન કરીએ.

હિન્દુ પુરાણ કથામાં ભગવાન એક એવી માનવ કલ્પનાનું પ્રતીક છે કે જયાં સ્વતંત્ર શિવ અથવા તો ભાગ દેવીમાં ફેરવાય છે, પરંતુ દેવીનો શ્રાવણ અડધો ભાગ ક્યારેય દેવમાં બદલાતો શિવ વિશ્વસનીય ભગવાન વિષ્ણુ તરીકે જેની પૂજા થઈ શકે, બીજી બાજુ દેવી પ્રકૃતિ નું પ્રતીક છે.માનવ કલ્પનાને પ્રકૃતિ ની જરૂર હોય છે,પરંતુ તેનું વિપરીત સાચું નથી. તેથી ભગવાન અથવા ઈશ્વર નો અડધો નથી. અર્ધનારીશ્વરની પ્રતિમાઓ કરતા એની વાર્તાઓ ઘણી ઓછી હોવાનું જણાય છે. લિંગ પુરાણ અનુસાર, સૃષ્ટિની શરૂઆતમાં કમળ ખીલ્યું હતું. તેમાં બ્રહ્મા બેઠા હતા.જાગૃત થયા ત્યારે તેમને એકલતાનો અનુભવ થયો. તેઓ ભયભીત થઈ ગયા અને તેઓને સાથ આપવા માટે તે કોઈ અન્ય જીવનું નિર્માણ કેવી રીતે કરી શકે તે પ્રશ્નમાં સપડાયા. અચાનક જ તેમને આંખો સામે શિવનો અનુભવ થયો, શિવનો જમણો ભાગ પુરુષ અને ડાબો ભાગ સ્ત્રીનો હતો. તેનાથી પ્રેરાઇને બ્રહ્માએ પોતાને પણ બે ભાગમાં વિભાજિત કરી લીધા, બધા પુરુષ જીવો જમણી બાજુથી અને સ્ત્રી જીવો ડાબી બાજુથી આવ્યા.નાથ જોગીઓની મૌખિક પરંપરામાં કહે છે કે જયારે તેઓ શિવને મળવા કૈલાસ પર્વત પર ગયા, ત્યારે એ જોઈને આશ્ચર્ય થયું કે શિવ પાર્વતી સાથેના આલિંગનમાં એટલા મગ્ન છે કે તેમણે જોગીઓ તરફ ધ્યાન જ ન આપ્યું.તે પછી તેઓ સમજી ગયા કે શિવ અને પાર્વતીનાં આલિંગનને રોકવું એ શરીરના જમણા ભાગને ડાબા ભાગથી અલગ કરવા જેવું થશે. તેથી તેમણે શિવને નમન કરી તેમની અર્ધનારીશ્વરના રૂપે કલ્પના કરી.

દક્ષિણ ભારતનાં મંદિરોમાં શિવ સામે સ્નેહથી જોઈ રહેલો શૃંગી નામનો વ્યક્તિ દેખાય છે. મૃગી શિવના અન્ય ઉપાસકોથી અલગ છે-નિર્બળ છે.હકીકતે ફક્ત તેના હાડકાં જ દેખાય છેઅને તેના બે નહી પણ ત્રણ પગ છે. એવું કહેવાય છે કે ભૃગી શિવનો ઉપાસક હતો, એક દિવસ કૈલાસ પર્વત પર આવ્યા પછી તેણે શિવ ની પ્રદક્ષિણા કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પ્રદક્ષિણા કરતી વખતે પાર્વતીએ માંગ કરી હતી કે ભૃગી એ તેમની પણ પ્રદક્ષિણા કરવી જોઈએ. પરંતુ ભૃગી શિવ પ્રત્યે એટલા મોહિત થઈ ગયો હતો કે તેને પાર્વતીની પ્રદક્ષિણા કરવાની ઈચ્છા ન થઇ. આ જોઈ પાર્વતી શિવના ખોળામાં બેસી ગયા અને એ કારણે ભંગીને હવે બંનેની ફરતે ફરવાની ફરજ પડી પરંતુ તેને તો ફક્ત શિવની જ પ્રદક્ષિણા કરવી હતી, તેથી તેણે નાગનું રૂપ ધારણ કરી શિવ અને પાર્વતીની વચ્ચેથી ખસવાનો પ્રયાસ કરવા લાગ્યો. શિવને તે મનોરંજક લાગ્યો અને એમણે પાર્વતીને પોતાના શરીરનો અડધો ભાગ બનાવીને અર્ધનારી શ્વરમાં રૂપાંતરિત થઇ ગયા. પણ ભૃગીએ તેની જીદ ન છોડી. તે ક્યારેક ઉંદર તો ક્યારેક મધમાખી નું રૂપ લઈને શિવ અને પાર્વતીની વચ્ચે જવાનો પ્રયત કરતો. જેનાથી પાર્વતી એટલા બધા ખિજાઈ ગયાં કે એમણે ભૃગીને શ્રાપ આપી દીધો કે તે તેની માતા પાસેથી મળેલાં શરીરનાં તમામ અંગો અને તે જમીન પર ફસડાઈ પડ્યા. ત્યારે ભૃગી પર દયા કરીને શિવજીએ તેને ત્રીજો પગ આપ્યો, જેથી તે ટિપોઇની જેમ ઊભો રહી શકે.આ ઘટના બતાવે છે કે ભગવાન ના સ્ત્રી-ભાગને ન પૂજતા શું દુર્દશા થાય છે. અન્ય એક લોક વાયકા અનુસાર,જયારે પાર્વતીજી એ શિવજીના શિરે જોયા ત્યારે તે ખૂબ ક્રોધિત થઈ ગયા. ત્યારે એમને શાંત કરવા,શિવે બંનેનાં શરીરને એક કર્યાં અને આમ તેઓ અર્ધનારીશ્વર બન્યા હિન્દુ પુરાણ કથામાં ભગવાન એક એવી માનવ કલ્પનાનું પ્રતીક છે કે જયાં સ્વતંત્ર શિવ અથવા તો વિશ્વસનીય ભગવાન વિષ્ણુ તરીકે જેની પુજા થઈ શકે, બીજી બાજુ, દેવી પ્રકૃતિ નું પ્રતીક છે.

માનવ કલ્પનાને પ્રકૃતિ ની જરૂર હોય છે. પરંતુ તેનું વિપરીત સાચું નથી. તેથી ભગવાન અથવા ઈશ્વરનો અડધો ભાગ દેવીમાં ફેરવાય છે, પરંતુ દેવીનો અડધો ભાગ ક્યારેય દેવાં બદલાતા નથી, અર્ધનારીશ્વરની પ્રતિમાઓ કરતાં એની વાર્તાઓ ઘણી ઓછી હોવાનું જણાય છે. લિંગ પુરાણ અનુસાર, સૃષ્ટિની શરૂઆતમાં કમળ ખીલ્યું હતું, તેમાં બ્રહ્મા બેઠા હતા. જાગૃત થયા ત્યારે તેમને એક્લતાનો અનુભવ થયો. તેઓ ભયભીત થઈ ગયા અને તેઓને સાથ આપવા માટે તે કોઈ અન્ય જીવનું નિર્માણ કેવી રીતે કરી શકે તે પ્રશ્નમાં સપડાયા. અચાનક થયો. શિવનો જમણો ભાગ પુરુષ અને ડાબો ભાગ સ્ત્રીનો હતો. તેનાથી પ્રેરાઇને બ્રહ્માએ પોતાને પણ બે ભાગમાં વિભાજિત કરી લીધા. બધા પુરુષ જીવો જમણેથી અને સ્ત્રી જીવો ડાબી બાજુથી આવ્યા, નાથ જોગીઓની મૌખિક પરંપરા માં કહે છે કે જયારે તેઓ શિવને મળવા કૈલાસ પર્વત પર ગયા, ત્યારે એ જોઈને આશ્ચર્ય થયું કે શિવ પાર્વતી સાથેના આલિંગનમાં એટલા મગ્ન છે કે તેમણે જોગીઓ તરફ ધ્યાન જ ન આપ્યું. તે પછી તેઓ સમજી ગયા કે શિવ અને પાર્વતીનો આલિંગનને રોકવું એ શરીરના જમણા ભાગને ડાબા ભાગથી અલગ કરવા જેવું થશે. તેથી તેમણે શિવને નમન કરી તેમની અર્ધનારીશ્વરના રૂપે કલ્પના કરી.

દક્ષિણ ભારતના મંદિરોમાં શિવ સામે સ્નેહથી જોઈ રહેલો ભૂંગી નામનો વ્યક્તિ દેખાય છે. ભંગી શિવના અન્ય ઉપાસકોથી અલગ છે – નિર્બળ છે. હકીક્ત, ફક્ત તેના હાડકાં જ દેખાય છે અને તેના બે નહી પણ ત્રણ પગ છે. એવું કહેવાય છે કે ભુગી શિવનો ઉપાસક હતા. એક દિવસ કૈલાસ પર્વત પર આવ્યા પછી તેણે શિવ ની પ્રદક્ષિણા કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પ્રદક્ષિણા કરતી વખતે પાર્વતીએ માંગ કરી હતી કે ભૂંગી એ તેમની પણ પ્રદક્ષિણા કરવી જોઈએ. પરંતુ ભૃગી શિવ પ્રત્યે એટલા મોહિત થઈ ગયો હતો કે તેને પાર્વતીની પ્રદક્ષિણા કરવાની ઈચ્છા ન થઈ. આ જોઈ પાર્વતી શિવના ખોળામાં બેસી ગયા અને એ કારણે ભંગીને હવે બંનેની ફરતે ફરવાની ફરજ પડી. પરંતુ તેને તો ફક્ત શિવની જ પ્રદક્ષિણા કરવી હતી. તેથી તેણે નાગનું રૂપ ધારણ કરી શિવ અને પાર્વતીની વચ્ચેથી ખસવાનો પ્રયાસ કરવા લાગ્યો, શિવને તે મનોરંજક લાગ્યો અને એમણે પાર્વતીને પોતાના શરીરનો અડધો ભાગ બનાવીને અર્ધનારીશ્વરમાં રૂપાંતરિત થઇ ગયા. પણ ભૂંગીએ તેની જીદ ન છોડી. તે ક્યારેક ઉંદર તો ક્યારેક મધમાખીનું રૂપ લઈને શિવ અને પાર્વતીની વચ્ચે જવાનો પ્રયત કરતા. જેનાથી પાર્વતી એટલા બધાં ખિજાઈ ગયા કે એમણે ભંગીને શ્રાપ આપી દીધો કે તે તેની માતા પાસેથી મળેલો શરીરનાં તમામ અંગો અને તે જમીન પર ફસડાઈ પડ્યા. ત્યારે ભૂંગી પર દયા કરીને શિવજીએ તેને ત્રીજો પગ આપ્યો, જેથી તે ટિપોઈની જેમ ઊભો રહી શકે. આ ઘટના બતાવે છે કે ભગવાનના સ્ત્રી-ભાગને ન પૂજતા શું દુર્દશા થાય છે. અન્ય એક લોકવાયકા અનુસાર, જયારે પાર્વતીજીએ ગંગાને શિવજીના શિરે જોયા, ત્યારે તે ખૂબ થઈ ગયાં. ત્યારે એમને શાંત કરવા, શિવે બંનેનાં શરીરને એક કર્યા અને આમ તેઓ અર્ધનારીશ્વર બન્યા વાચકમિત્રો શિવભક્તો આપણે શ્રાવણ માસ માં શિવ મહિમાનું રસપાન કરતાં કરતાં નવમા દિવસ સુધી પહોંચ્યા છીએ .સૌને તપ વ્રત ઉપાસના આરાધના અભિષેકનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય. દેશભરમાં ચંદ્રયાન-૩ ના વિક્રમ લેન્ડરની સફળતા આપણા વૈજ્ઞાનિકોની ધીરજ મહેનતે રંગ રાખ્યો છે ને સદા શિવ ભોળાનાથ શંભુની કૃપા દૃષ્ટિ હોઇ શકે.. સદા શિવ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે અસ્તુ.