વૃદ્ધાવસ્થામાં માતા-પિતાને હેરાન કરાનારા પુત્ર-વહુને સંપત્તિમાંથી બેદખલ કરી શકશે: રાજસ્થાન હાઈકોર્ટ

RajasthanHighCourt

આ કારણે વૃદ્ધોના હજારો કેસ પેન્ડીંગ, ટ્રિબ્યુનલે આદેશ આપતી વખતે કેટલીક બાબતોને પણ ધ્યાને રાખવા પડશે

રેફરન્સના આધારે આ નિર્ણય આપ્યો હતો, રેફરન્સ નક્કી કર્યા બાદ કેસોનો ઝડપથી નિકાલ થશે

જયપુર: વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોને હેરાન કરનારા તેમજ યોગ્ય રીતે સાર-સંભાળ ન રાખનારા સંતાનો સામે રાજસ્થાન હાઈકોર્ટે લાંલ આખ કરી છે. રાજસ્થાન હાઈકોર્ટનું માનવું છે કે, કોઈ પણ વૃદ્ધને હારાન કરવા બદલ તેમજ સાર-સંભાળ ન રાખવા બદલ વૃદ્ધ પુત્ર-વહુને પોતાની સંપત્તિમાંથી બહાર કરી શકે છે. એટલું જ નહીં મેઈન્ટેનન્સ ટ્રિબ્યુનલ એટલે કે SDO કોર્ટ પણ વૃદ્ધોની અરજી પર પુત્ર-વહુને તેમની સંપત્તિમાંથી બહાર કરી શકે છે.

તારીખ 12 સપ્ટેમ્બર 2019માં ઓમપ્રકાશ અને મનભર દેવી કેસમાં મુખ્ય ન્યાયાધીશ એ.જી.મસીલ તેમજ જસ્ટિસ સમીર જૈનની ખંડપીઠે સિંગલ બૅન્ચ દ્વારા આપેલા રેફરન્સના આધારે આ નિર્ણય આપ્યો હતો. કોર્ટે આ કેસમાં આગામી સુનાવણી 27 ઓગસ્ટ નિર્ધારીત કરી છે. જો કે ખંડપીઠે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ સહિત વિવિધ હાઈકોર્ટે મેઈન્ટેનન્સ ટ્રિબ્યુનલ દ્વારા નિકાલની શક્તિઓને સ્વિકારી છે, જોકે આદેશ આપવો મેઈન્ટેનન્સ ટ્રિબ્યુનલના વિવેક પર છે. રેફરન્સનો બચાવ કરનારા વકીલ ઓ.પી.મિશ્રાએ કહ્યું કે, ખંડપીઠે સ્પષ્ટ કહ્યું છે કે, સંપત્તિમાંથી કાઢી નાખવાનો આદેશ આપતી વખતે ટ્રિબ્યુનલે કેસના તમામ તથ્યો અને અન્ય સમાંતર કેસોને પણ ધ્યાને રાખવા પડશે.

હાઈકોર્ટની ખંડપીઠમાં રેફરન્સ નક્કી ન હોવાના કારણે વૃદ્ધોના આવા હજારો કેસોમાં ટ્રિબ્યુનલ ચુકાદો આપી શકતા ન હતા. સિંગલ બેંચ સમક્ષ પણ અરજીઓ પેન્ડિંગ હતી. રેફરન્સ નક્કી કર્યા બાદ આવા કેસોનો ઝડપી નિકાલ કરી શકાશે.