અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નારોલ-નરોડા હાઇવે ઉપર સીટીએમ ચાર રસ્તા પર બ્રિજની નીચે લોકો રોડ ક્રોસ કરીને ન જાય તેના માટે બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે. બેરિકેડ મૂકી દેવાના કારણે હજારો લોકો અને વેપારીઓને દરરોજ તકલીફનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકો દ્વારા આ મામલે વિવિધ રીતે વિરોધ કરી અને બેરિકેડ હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ ચાર રસ્તા ઉપર બેરિકેડ તેમજ રેલિંગ બનાવી દેવામાં આવી છે, જેના કારણે કોઈપણ વ્યક્તિ હાટકેશ્વરથી રામોલ તરફ અને રામોલથી હાટકેશ્વર તરફ જઈ શકતા નથી.
પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક કોર્પોરેટરો સાથે સંકલન કર્યા બાદ આ બેરિકેડ અને રેલિંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પણ સ્થાનિક વેપારીઓ અને લોકોનો આક્ષેપ છે કે, આ બેરિકેડ લગાવવાના કારણે લોકો હેરાન પરેશાન થાય છે. વાહનચાલકો રોંગ સાઈડમાં જતા હોવાથી અકસ્માત સાથે ટ્રાફિક થવાની સમસ્યા વકરી છે. લોકો રોંગ સાઈડમાં વધારે આવે છે.
અમદાવાદના સીટીએમ બ્રિજ નીચે બેરિકેડ્સ લગાવાતાં લોકો પરેશાન, સ્થાનિકો દ્વારા બેરિકેડ હટાવવાની માંગ

સંબંધિત ન્યૂઝ
-
યુએસ બોર્ડર પર ૨૦ દિવસ જેલમાં રાખવામાં આવ્યો
06 February, 2025 -
રાજકોટના જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા
05 February, 2025 -
એક્ઝિટ પોલમાં ઓછુ પણ વાસ્તવિક પરિણામો આવે છે : આપ નેતા રીના ગુપ્તા
05 February, 2025 -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કાયદાની જરૂરિયાત ?
04 February, 2025 -
અયોધ્યામાં દલિત યુવતીની હત્યાના કેસમાં ૩ આરોપીઓની ધરપકડ
03 February, 2025