ગુજરાતનાં ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા, આરોગ્ય તંત્રમાં દોડધામ મચી, કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી

corona-jn1

બંને દર્દીઓ દક્ષિણ ભારત ફરવા ગયા હતા
નવા વેરિઅન્ટને જીલ્લા લેવલ સુધી મોનીટર કરવા સૂચના

ગુજરાત રાજ્યમાં લાંબા સમય બાદ આજે કોરોનાનાં કેસ જોવા મળ્યા છે. જેમાં રાજ્યના પાટનગરમાં એક સાથે બે કોરોનાના કેસના દર્દીઓની વિગત સામે આવી રહી છે. ગાંધીનગરના સેક્ટર 6 વિસ્તારની બે સગી બહેનોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. કેરલામાં મળેલો નવો વેરિયન્ટ હોવાની આશંકાથી તેમના બંનેના સેમ્પલ જીનોમ સિંકવન્સ માટે મોકલવામાં આવ્યા છે. દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને પરત આવેલી 2 બહેનો કોરોના સંક્રમિત મળી આવી છે.

આ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, રાજ્યમાં છેલ્લા થોડાં સમયથી કોરોના કેસની સંખ્યા જોવા મળી રહી ન હતી. આ વચ્ચે દેશભરમાં કોરોનાના JN.1 વેરિઅન્ટ અંગે કેન્દ્ર સરકાર તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે. જેના વચ્ચે ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાય છે. બંન્ને ગૃહિણીઓએ વેક્સિનના બે ડોઝ લીધા છે. એક મહિલાની ઉંમર 57 વર્ષ અને બીજી મહિલાની ઉંમર 59 વર્ષ છે હાલ બંન્ને મહિલાઓને હોમ આઈસોલેટ કરવામાં આવી છે. આ બન્ને બહેનોના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ હાથ ધરાઈ છે. બંને બહેનોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. હાલમાં જ બંને બહેનો દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને ગાંધીનગરમાં આવી હતી. જેના પગલે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. સેક્ટર 6 વિસ્તારમાં સર્વેલન્સ વધારવામાં આવ્યું છે.

આ તરફ કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેમજ કેસોના પરિક્ષણ કરવા માટે પણ આદેશ આપ્યો છે. આ સાથે જ રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR પરીક્ષણો સહિત પર્યાપ્ત પરીક્ષણ સુનિશ્ચિત કરવા સલાહ આપવામાં આવી છે.