ગુજરાતના ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકવાદી ઠેકાણાઓને 22 મિનિટમાં તોડી પાડવામાં આવ્યા હતા અને કેમેરાની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેથી કોઈ પુરાવા માંગી ન શકે.
આજે ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી અઢી કિ.મી.નો રોડ શો પૂર્ણ કરી પીએમ મહાત્મા મંદિર પહોંચ્યા હતા. વડાપ્રધાનની સાથે રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી સંઘવી, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ સહિતના નેતાઓ જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ રૂ.5,536 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત શહેરી વિકાસની 20મી વર્ષગાંઠ અને શહેરી વિકાસ વર્ષ 2025 ના પ્રારંભ સમારોહમાં હાજરી આપી હતી.
મહાત્મા મંદિર ખાતે જનસભાને સંબોધન કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે હું ગઇકાલે વડોદરા, દાહોદ અને ભુજ ગયો પછી અહીં આવ્યો. જ્યાં જ્યાં ગયો ત્યાં દેશ ભક્તિની જ્વાળાઓ જોવા મળી. જ્યાં ગયો ત્યાં સિંદૂરિયા સાગરની ગર્જના અને લહેરાતા તિરંગા દેખાયા.
પાકિસ્તાન પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું, “૧૯૪૭માં જ્યારે મા ભારતીનું વિભાજન થયું, ત્યારે ‘સાંકળો કાપવી જોઈતી હતી પણ હાથ કાપી નાખવામાં આવ્યા’. દેશ ત્રણ ભાગમાં વહેંચાઈ ગયો. તે જ રાત્રે કાશ્મીરની ધરતી પર પહેલો આતંકવાદી હુમલો થયો. મા ભારતીના એક ભાગને આતંકવાદીઓની મદદથી મુજાહિદ્દીનના નામે પાકિસ્તાને પોતાના કબજામાં લઈ લીધો. જો તે જ દિવસે એ મુજાહિદ્દીનોને મોતને ઘાટ ઉતારી દીધા હોત… અને સરદાર પટેલની ઈચ્છા હતી કે પીઓકે પાછું ન આવે ત્યાં સુધી સેના રોકાવી ન જોઈએ, પરંતુ સરદાર સાહેબની વાત માની નહી. આ મુજાહિદ્દીનોએ જે લોહીનો સ્વાદ ચાખ્યો હતો તે સિલસિલો ૭૫ વર્ષથી ચાલી રહ્યો છે. પહેલગામ પણ તેનું જ વિકૃત સ્વરૂપ હતું. અમે ૭૫ વર્ષ સુધી તેને સહન કરતા રહ્યા. જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધનો સમય આવ્યો, ત્યારે ત્રણેય વખત ભારતની લશ્કરી શક્તિએ પાકિસ્તાનને ધૂળ ચટાડી. પાકિસ્તાન સમજી ગયું છે કે તે ભારત સામે જીતી શકશે નહીં.”
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજ સુધી આપણે જેને પ્રોક્સી વોર કહેતા હતા, 6 મે પછી જે દ્રશ્યો આપણે જોયા, ત્યાર પછી આપણે તેને પ્રોક્સી વોર કહેવાની ભૂલ કરી શકતા નથી. કારણ એ છે કે જ્યારે આતંકવાદીઓના 9 ઠેકાણાઓને ઓળખી કાઢી માત્ર 22 મિનિટમાં તેને ધ્વસ્ત કરી દીધા. આ એક નિર્ણાયક કાર્યવાહી હતી. ચહેરા પર સ્મિત સાથે પીએમએ કહ્યું, આ વખતે તો બધું કેમેરાની સામે કરવામાં આવ્યું હતું, બધી જ વ્યવસ્થા કરી હતી, જેથી અમારા ઘરે કોઈ સબૂત ના માંગી શકે. આ વખતે તો આપણે સબૂત આપવાની જરૂર નથી, ત્યાંના લોકો પુરાવા આપી રહ્યા છે…”
ગુજરાતના ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકવાદી ઠેકાણાઓને 22 મિનિટમાં તોડી પાડવામાં આવ્યા હતા અને કેમેરાની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેથી કોઈ પુરાવા માંગી ન શકે. પીએમએ કહ્યું, ‘6 મે પછી જે દ્રશ્યો જોવા મળ્યા તે જોતાં, આપણે તેને પ્રોક્સી વોર કહેવાની ભૂલ ન કરી શકીએ.’ આનું કારણ એ છે કે જ્યારે 22 મિનિટમાં 9 આતંકવાદી ઠેકાણાઓ ઓળખી કાઢવામાં આવ્યા અને તેનો નાશ કરવામાં આવ્યો. ચહેરા પર સ્મિત સાથે પીએમએ કહ્યું, ‘આ વખતે બધું કેમેરાની સામે કરવામાં આવ્યું હતું, બધી વ્યવસ્થા એવી કરવામાં આવી હતી કે અમારા ઘરમાં કોઈ પુરાવા ન માંગે, હવે અમારે કોઈ પુરાવા આપવાની જરૂર નથી.’ ત્યાંની વ્યક્તિ તે આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે પુલવામા અને ઉરી હુમલા પછી, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર સર્જિકલ અને હવાઈ હુમલા કર્યા હતા, ત્યારે કેટલાક વિપક્ષી નેતાઓએ સરકાર પાસેથી પાકિસ્તાનમાં થયેલા નુકસાન અંગે પુરાવા માંગ્યા હતા. આ પાકિસ્તાનની વાતને અનુરૂપ હતું, જે કોઈપણ જાનહાનિનો ઇનકાર કરી રહ્યું હતું. આ વખતે, પહેલગામ હુમલા પછી, જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓના ઠેકાણાઓને તોડી પાડવામાં આવ્યા, ત્યારે આ પણ કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યા.
પીએમ મોદીએ કહ્યું, “૬ મેની રાત્રે માર્યા ગયેલા લોકોના મૃતદેહોને પાકિસ્તાનમાં રાજકીય સન્માન આપવામાં આવ્યું. તેમના શબપેટીઓ પર પાકિસ્તાની ધ્વજ લગાવવામાં આવ્યા, ત્યાંની સેનાએ તેમને સલામી આપી. આ સાબિત કરે છે કે આતંકવાદી પ્રવૃત્તિ કોઈ પ્રોક્સી યુદ્ધ નથી, આ તમારી (પાકિસ્તાનની) સારી રીતે વિચારેલી યુદ્ધ વ્યૂહરચના છે, તમે યુદ્ધ જ કરી રહ્યા છો, તેથી તમને પણ એ જ જવાબ મળશે.”
પીએમ મોદી નરેન્દ્ર મોદીએ કહ્યું, “અમે અમારા કામમાં લાગેલા હતા અને પ્રગતિના માર્ગ પર હતા. અમે બધાનું ભલું ઇચ્છીએ છીએ અને મુશ્કેલીના સમયે મદદ કરીએ છીએ, પરંતુ બદલામાં લોહીની નદીઓ વહે છે… હું નવી પેઢીને કહેવા માગુ છુ કે, દેશને કેવી રીતે બરબાદ કર્યો છે. 1960માં જે સિંધુ જળ સંધિ થઈ હતી તેની વિગતોમાં જશો તો તમને આઘાત લાગશે. તેમાં એવુ નક્કી થયુ હતું કે જમ્મુ અને કાશ્મીરની અન્ય નદીઓ પર બનેલા બંધોને સાફ કરવામાં આવશે નહીં. સફાઈ માટે દરવાજા ખોલવામાં આવશે નહીં. 60 વર્ષ સુધી દરવાજા ખોલવામાં આવ્યા ન હતા. જે બંધ 100 ટકા પાણીથી ભરાવા જોઈએ હતા તે ધીમે ધીમે તેમની ક્ષમતા ગુમાવી રહ્યા છે. શું મારા દેશવાસીઓને પાણી પર અધિકાર નથી? દેશવાસીઓને તેમના હકનું પાણી મળવુ જોઈએ કે નહીં. અને અમે હજુ તો વધારે કશુ કર્યું નથી અને તેમનો પરસેવો છૂટી ગયો છે. અમે હમણાં બંધનાં દરવાજા થોડા ખોલીન તેની સફાઈ શરૂ કરી છે, અને આટલા પાણીથી તો ત્યાં પૂર આવી જાય છે.”
પીએમ મોદીએ કહ્યું, “ગઈકાલે 26 મે હતી… 26 મે 2014 ના રોજ, મને પહેલીવાર દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવાની તક મળી. તે સમયે, ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં 11મા ક્રમે હતી. આપણે કોરોના સામે લડ્યા, પડોશીઓ તરફથી સમસ્યાઓનો સામનો કર્યો, કુદરતી આફતોનો પણ સામનો કર્યો, તેમ છતાં, આટલા ટૂંકા સમયમાં આપણે 11માં ક્રમની અર્થવ્યવસ્થામાંથી ચોથા ક્રમની અર્થવ્યવસ્થા બની ગયા. કારણ કે આપણે વિકાસ ઇચ્છીએ છીએ, આપણે પ્રગતિ ઇચ્છીએ છીએ.”
આપણે આપણા પાડોશીનું સુખ ઇચ્છીએ છીએ પણ વારંવાર આપણા સામર્થ્યને લલકારવામાં આવે ત્યારે જવાબ આપવો પડે કે આ દેશ વિરોની ધરતી છે.
હવે દેશ વાટ નહીં જોવે, જો કોઇ વાટ જોવાનું કહે તો પાછળથી અવાજ આવે કે ‘મોદી હૈ તો મુમકિન હૈ’ એટલા માટે મિત્રો આપણું લક્ષ્ય એક જ છે કે દેશ વિકસિત હોવો જ જોઇએ. એમાં કોઇ કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે, વિશ્વમાં ભારતનો ઝંડો લહેરાવવાનો છે.
આવનારા દિવસોમાં આપણે ટુરિઝમ પર વધારે ધ્યાન આપવાનું છે. આપણે કચ્છના રણમાં વિદેશીઓને લાવતા કરી દીધા છે. આપણે નિર્ધાર કરીએ તો ગમે તે કરી શકીએ છીએ. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને વડનગરનું મ્યુઝિયમ જોવા દુર દુરથી લોકો આવે છે. વડનગરમાં 2800 વર્ષ જૂના પુરાવા મળ્યા છે. હવે અમે લોથલમાં મ્યુઝિયમ બનાવીએ છીએ. 5000 વર્ષ પહેલાં ડંકો વાગતો હતો એ વારસો ઉજાગર કરવાનો છે.
6 મેની રાત, ઓપરેશન સિંદૂરનો પ્રારંભ સૈન્ય બળથી થયો હતો પણ હવે જનબળથી આગળ વધશે. દરેક માણસ દેશના વિકાસ માટે ભાગીદાર બને. દેશની ઇકોનોમીને 03 નંબર લાવવા આપણે વિદેશી માલ નથી વેચવાનો, સ્વદેશી અપનાવવું છે અને ઓપરેશન સિંદૂરને સફળ બનાવવાનું છે. 2047માં ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યાં સુધીમાં આપણે દેશને એક અલગ ઉંચાઇએ લઇ જવાનો છે.
25 વર્ષ પહેલાં વિદેશથી કોઇ આવતું હોય તો લિસ્ટ મોકલતા હતા કે આ લેતા આવજો, અત્યારે વિદેશથી કોઇ આવે તો સામેથી પુછે છે કે કઇ લાવવું છે? અને આપણે કહીએ છીએ કે ના અહીં બધુ ઉપલ્બ્ધ છે. આપણે લોકલ ફોર વોકલ, વન ડિસ્ટ્રીક વન પ્રોડક્ટ વેચવાની છે.