ગુજરાત રાજ્યમાં કંજેકટીવાઇટીસના કેસમાં વધારો થયો છે. જેમાં અમદાવાદમાં 24 કલાકમાં 5 હજાર કેસ નોંધાયા છે. તેમાં ભાવનગરમાં 24 કલાકમાં 2100 કેસ નોંધાયા છે. તથા ઘણા જિલ્લામાં દૈનિક 1 હજાર જેટલા કેસ નોંધાય છે.
અમદાવાદ, ભાવનગર, વડોદરામાં વધુ કેસ છે. તેમજ અમરેલી, ભરૂચ, મહેસાણામાં પણ વધુ કેસ નોંધાયા છે. તથા રાજ્ય આરોગ્ય વિભાગે જિલ્લાઓમાં સૂચના આપી છે. તેમાં આરોગ્ય એડિશનલ ડાયરેક્ટર નિલમ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં નિલમ પટેલે જણાવ્યું છે કે ચેપી પ્રકારનો રોગ હોવાથી સ્વચ્છતાની જરૂર છે. તેમાં આંખોમાંથી સતત પાણી પડે છે. ચેપગ્રસ્ત લોકોએ ભીડવાળી જગ્યાએ ન જવું જોઇએ. સાબુથી સતત હાથ ધોતા રહેવા જોઇએ.
ગુજરાતમાં 24 કલાકમાં અમદાવાદ – 5,000, ભાવનગર – 2100, વડોદરા – 1000 થી વધુ તેમજ અમરેલી – 1000થી વધુ તથા ભરૂચ – 1000 થી વધુ અને મહેસાણા – 1000થી વધુ તથા રાજકોટ – 300 તેમજ જામનગર – 100 કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં કંજેકટીવાઇટીસના કેસમાં થયો વધારો, 24 કલાકમાં નોંધાયા 5 હજાર કેસ
સંબંધિત ન્યૂઝ
-
ભાજપ પાસે હિન્દુ-મુસ્લિમ સિવાય મુદ્દો નથી, કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહ
16 May, 2026 -
અમારા વિભાગોએ પહેલાથી જ ઇંધણ ખર્ચમાં ઘટાડો કર્યો : દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તા
14 May, 2026 -
મુંબઈ: સંભાજીનગરમાં AIMIM કોર્પોરેટર પર બુલડોઝર કાર્યવાહી પર, શિવસેના (UBT) ના નેતા આનંદ દુબે કહે છે
13 May, 2026 -
પેટ્રોલ, ડીઝલ, ઇંધણના ભાવમાં વધારો, પરિવહન ખર્ચ વધશે, અને તેનાથી મોંઘવારી વધશે, અસદુદ્દીન ઓવૈસી
12 May, 2026 -
દેશના દરેક નાગરિકને અપીલ કરું છું કે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
11 May, 2026
