ઔરંગઝેબનો છેલ્લો પત્ર: મૃત્યુ પહેલાં પોતે કરેલા ગુનાઓનો ઉલ્લેખ કર્યો હતો, તમે પણ વાંચો

aurangzebKiAkhriRaat

ઔરંગઝેબે તેણે કરેલી ક્રૂરતા પત્રમાં લખી હતી, પોતાના પિતાને કેદ કરી પાણીના એક-એક ટીપા માટે તડપાવ્યા હતા

ઔરંગઝેબનો તે છેલ્લો પત્ર જેનો ઉલ્લેખ ઇતિહાસના પુસ્તકોમાં છે તે ઔરંગઝેબના ગુનાઓની વાત કહે છે. વિવાદાસ્પદ મુઘલ શાસકે મૃત્યુ પહેલાં થયેલ પસ્તાવા બાદ લખેલ પત્રમાં પોતે કરેલા ગુનાઓનો ઉલ્લેખ કર્યો છે. રામ કુમાર વર્મા દ્વારા લખાયેલ પુસ્તક ‘ઔરંગઝેબ કી આખરી રાત’ માંથી ઔરંગઝેબે લખેલ પત્રનું વર્ણન નીચે આપેલ છે.

દેશના રાજકારણમાં મુઘલ શાસક ઔરંગઝેબ ચર્ચામાં છે. સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમી દ્વારા તેના વખાણ કરતા વિવાદ વધ્યો છે. જો આપણે ઇતિહાસના પાનાઓ પર નજર કરીએ તો, વિવાદાસ્પદ મુઘલ શાસકોમાં સૌથી મોટું નામ ઔરંગઝેબનું છે. ઔરંગઝેબે બિન-મુસ્લિમો પર જઝિયા ટેક્સ જેવી ભેદભાવપૂર્ણ નીતિઓ લાદી હતી. ઔરંગઝેબે શીખ ગુરુ તેગ બહાદુરનું માથું કાપી નાખ્યું હતું. તેણે ગુરુ ગોવિંદ સિંહના પુત્રોને દિવાલમાં જીવતા ચણાવી દીધા હતા, જ્યારે શિવાજી મહારાજનાં પુત્ર સંભાજી મહારાજની આંખો કઢાવી નાખી હતી અને તેમના નખ ખેંચીને કઢાવ્યા હતા.

ઔરંગઝેબના શાસન દરમિયાન, ભારતમાં શરિયાના આધારે ફતવા-એ-આલમગીરી લાગુ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં હિન્દુ મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો. કાશી અને સોમનાથ મંદિરોનો નાશ કરવામાં આવ્યો અને લાખો હિન્દુઓની હત્યા કરવામાં આવી. તેની ક્રૂરતાને કારણે, મુઘલ સામ્રાજ્ય લગભગ સમગ્ર ભારતીય ઉપખંડમાં સૌથી વધારે ફેલાયુ હતુ. ઔરંગઝેબનું અવસાન ૧૭૦૭ માં થયું હતું. એવું કહેવાય છે કે તેના મૃત્યુ પહેલાં તેને તેના ગુનાઓનો પસ્તાવો થયો અને તેણે તેના પુત્રો આઝમ શાહ અને કામ બખ્શને પત્ર લખીને પોતાનો પસ્તાવો વ્યક્ત કર્યો હતો. આ પત્રમાં તેણે પોતે કરેલા ગુનાઓ અને નિષ્ફળતાઓનો ઉલ્લેખ કર્યો હતો.

ઔરંગઝેબે પોતાના છેલ્લા પત્રમાં જે લખ્યું હતું તે તેના પસ્તાવાની વાત કહે છે. મરતા પહેલા, ઔરંગઝેબે પોતાના પુત્રોને લખેલા પત્રમાં પોતાના ગુનાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ પત્રમાં તેણે લખ્યું હતું કે તેણે લોકોનું કોઈ ભલું કર્યું નથી અને તેનું જીવન બરબાદ થઈ ગયું છે. તેણે એમ પણ લખ્યું હતુ કે તેણે પોતાના પાપોનું પરિણામ ભોગવવું પડશે.

ઔરંગઝેબે તેના પિતા શાહજહાંને પણ ખૂબ ત્રાસ આપ્યો હતો. ઔરંગઝેબે શાહજહાંને આગ્રાના કિલ્લામાં કેદ કરી દીધા અને તેમને પાણી માટે તડપાવ્યા હતા. શાહજહાંએ પોતાની આત્મકથા ‘શાહજહાંનામા’માં ઔરંગઝેબ માટે ખૂબ જ કઠોર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. શાહજહાંએ લખ્યું હતું કે ભગવાન આવા બાળક કોઈને ના આપે. શાહજહાંએ ઔરંગઝેબની તુલના એવા હિન્દુઓ સાથે કરી કે જેઓ પોતાના માતા-પિતાની સેવા કરે છે અને તેમના મૃત્યુ પછી તર્પણ કરે છે. તેમણે લખ્યું છે કે ઔરંગઝેબથી સારા તો તે હિન્દુઓ છે જે પોતાના માતા-પિતાની સેવા કરે છે અને તેમના મૃત્યુ પછી તર્પણ કરે છે.

તમને જણાવી દઈએ કે ઔરંગઝેબ પોતાના સામ્રાજ્યને પોતાના પુત્રોમાં વહેંચવા માંગતો હતો. તે ઉત્તરાધિકારનો અંત લાવવા માંગતો હતો, પરંતુ તેની ઇચ્છા પૂર્ણ થઈ શકી નહીં. તેના પુત્રો વચ્ચે પણ ગાદી માટે યુદ્ધ થયું. તેના ત્રણ પુત્રો મુહમ્મદ મુઅઝ્ઝલ, મુહમ્મદ આઝમ અને કંબક્ષ વચ્ચે ઉત્તરાધિકારને લઈને યુદ્ધ થયુ. તેના મોટા પુત્ર રાજકુમાર મુઅઝ્ઝલે યુદ્ધ જીત્યું અને ૧૮ જૂન ૧૭૦૭ના રોજ જાજાઉ ખાતે મુહમ્મદ આઝમને અને જાન્યુઆરી ૧૭૦૯માં હૈદરાબાદ ખાતે કંબક્ષને મારી નાખ્યો.

રામ કુમાર વર્મા દ્વારા લખાયેલ પુસ્તક ‘ઔરંગઝેબ કી આખરી રાત’ માં ઔરંગઝેબે લખેલા પત્રની સામગ્રીનો ઉલ્લેખ કંઈક આ રીતે કરવામાં આવ્યો છે.
“હવે હું વૃદ્ધ અને નબળો થઈ ગયો છું. મને ખબર નથી કે હું કોણ છું અને આ દુનિયામાં શા માટે આવ્યો છું.” મેં લોકોનું કોઈ ભલું કર્યું નથી; મારું આખુ જીવન આવી જ રીતે વેડફાઈ ગયુ. હવે મને ભવિષ્ય માટે કોઈ આશા નથી. મારો તાવ હવે ઓછો થઈ ગયો છે, પણ એવું લાગે છે કે મારા શરીર પર ફક્ત ચામડી જ છે. હું આ દુનિયામાં કંઈપણ લીધા વિના આવ્યો હતો, પરંતુ હવે પાપોના ભારે બોજ સાથે જઈ રહ્યો છું. મને ખબર નથી કે અલ્લાહ મને શું સજા આપશે, મેં લોકોને જે દુઃખ આપ્યું છે અને જે પાપ કર્યા છે તેનું પરિણામ મારે ભોગવવું પડશે. હું દુષ્ટતામાં ડૂબેલો પાપી છું.”