અમિત શાહે જામકંડોરણામાં સભા સંબોધતા કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું કે બન્ને તબક્કામાં રાહુલબાબાનાં સૂપડાં સાફ થઈ ગયા

Amitshah-jamkandorana

સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઈ ગયું છેઃ અમિત શાહ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. રાજકોટનાં જામકંડોરણા ખાતે પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે તેમણે આજે ચૂંટણી પ્રચાર કર્યો હતો. અમિત શાહે જામકંડોરણામાં જંગી સભા સંબોધી હતી. અમિત શાહ આજે જામકંડોરણા બાદ ગુજરાતની ભરૂચ, પંચમહાલ અને વડોદરા બેઠક પરથી સભા કરવાના છે.

આજરોજ 27 એપ્રિલે કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં છે. તેઓ દિવસ દરમિયાન 3 સભા માટે પ્રચાર કરવાના છે. જેમાંની સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં સભા સંબોધી હતી. જામકંડોરણામાં સભાને સંબોધન કરતા ગુજરાતમાં 26 બેઠક પર ભાજપનો વિજય થશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે, “સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઈ ગયું છે. જનું કામ ટૂંક સમયમાં પૂરું થઈ જશે.”

જામકંડોરણાની સભાની શરૂઆતમાં જ અમિત શાહે વિઠ્ઠલ રાદડીયાને શ્રધ્ધાજલિ આપી યાદ કર્યા હતા.બીજી તરફ રમેશ ધડૂક સાચા સમાજ સેવક છે અને તેમણે લોકો માટે ખૂબ કામ કર્યુ છે.સાથે સાથે તેમણે સૌરાષ્ટ્રના તમામ ધાર્મિક સ્થળોને પ્રણામ કર્યા હતા.તો અમિત શાહે સ્ટેજ પરથી કહ્યું કે,સૌરાષ્ટ્ર એ મહાત્માગાંધીની ભૂમિ છે.નરેન્દ્ર મોદીએ ગામે ગામ વિજળી પહોચાડી છે.રાજકોટમાં મેડીકલ કોલેજો વધી અને એઈમ્સની હોસ્પિટલ પણ આવી ગઈ છે.વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં મે 239 લોકસભામાં પ્રચાર કર્યો છે અને આજે ગુજરતામાં આવ્યો છુ.કોરોના કાળમાં મનસુખ માંડવિયાએ જરા પણ ગભરાવ્યા વિના કામ કર્યું છે.સૌરાષ્ટ્રમાં ગુંડાગીરી અને અપહરણ થતા હતા તે બંધ થઈ ગયા.પોરબંદરવાળા મોદી સરકારની આ ગેરંટી લઇને હું આવ્યો છુ,કાશ્મીરમાં પહેલાં બોમ્બ ધડાકા થતા, ઘુસણખોરી થતી તે બધુ અટકી ગયુ છે.કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી ભાજપ સરકારે,તો જામકંડોરણાવાળા કાશ્મીર માટે જીવ આપવા તૈયાર છે,કમળનું બટન દબાવો તો યાદ રાખજો કે મત મોદીને મળે છે,બાકી બચેલી 25 બેઠકો પર હેટ્રિક કરવાની છે,વધુમા તેમણે કહ્યું કે ભાજપને તમામ 26 બેઠકો મળવાની છે,જ્યાં જઇએ ત્યાં મોદી – મોદીના નારા લાગે છે,

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, “બન્ને તબક્કામાં રાહુલબાબાનાં સૂપડાં સાફ થઈ ગયા છે. તમે કમળનું બટન દબાવી મોદી સાહેબને ત્રીજી વખત PM બનાવજો. આવતા 5 વર્ષમાં ખાડો પુરવાનો પાયો નાખવામાં આવશે. નરેન્દ્રભાઈએ 10 વર્ષમાં તમામ કામ પુરા કર્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રને ધમધમતું કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે.”

અમિત શાહે વધુમાં કહ્યું કે, “કોંગ્રેસ સરકારે પોરબંદરની જેલ બંધ કરી, 2001માં મોદીએ શરૂ કરી છે. અયોધ્યામાં રામ મંદિર મુદ્દો કોંગ્રેસ સરકાર 70-70 વર્ષ સુધી ભટકાવતી રહી, આખરે મોદી સાહેબને બીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવતા તેમણે રામ મંદિર બનાવી સમગ્ર વાતાવરણ જયશ્રી રામના નામનું કરી દીધું. વધુમાં કહ્યું, સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઇ ગયું છે. 5 વર્ષમાં કોઈની પથ્થર ફેંકવાની હિંમત થઈ નથી. ગુજરાતમાં હેટ્રિક સાથે ત્રીજી વાર 26 બેઠક પર કમળ ખીલશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. “