અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા તમામ મુસાફરોના મોત, પૂર્વ સીએમ વિજય રુપાણીનું પણ નિધન, ફ્લાઇટમાં 242 પેસેન્જર સવાર હતા

airIndiaFlightCrashDeath

અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટમાં કોઈ બચ્યું નથી, શહેરના પોલીસ વડાએ ન્યુઝ એજન્સી એપીને જણાવ્યું.

અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી ક્રેશ થઈ હતી. અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી બપોરે 13.38 વાગ્યે ઉડાન ભરનાર બોઇંગ 787-8 વિમાનમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા.

અમદાવાદથી બપોરે 13.38 વાગ્યે લંડન જવા માટે ઉડાન ભરેલા વિમાનમાં જે 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા. આ તમામે તમામ મુસાફરોમાંથી કોઈ બચ્યું નથી. તમામ મુસાફરોનાં મોત નિપજ્યા છે તેવુ ન્યુઝ એજન્સી AP દ્વારા જાણવા મળેલ છે.

ન્યુઝ એજન્સી AP દ્વારા ટ્વીટ કરી જાણકારી આપવામાં આવી હતી કે
અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટમાં કોઈ બચ્યું નથી, શહેરના પોલીસ વડા જી.એસ. મલિકે એપીને જણાવ્યું.

હજુ સુધી મોતનો ચોક્કસ આંકડો આવ્યો નથી. અમુક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમની બચવાની સંભાવના નહિંવત્ત છે. બચાવ કામગીરી હજુ ચાલુ છે.

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ હેલ્પલાઇન નંબર જાહેર

અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ રાજકોટ જિલ્લાનાં નાગરિકો માટે જિલ્લા વહિવટી તંત્ર, રાજકોટ દ્વારા હેલ્પલાઇન નંબર 0281-2471573 જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એર ઇન્ડિયા પેસેન્જર હોટલાઇન નંબર 1800 5691 444 તથા અમદાવાદ શહેર પોલીસ નંબર 079-25620359 જાહેર કરવામાં આવ્યો હોવાનું જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક હવે મર્યાદિત ફ્લાઇટ્સ સાથે કાર્યરત

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક હવે મર્યાદિત ફ્લાઇટ્સ સાથે કાર્યરત છે. મુસાફરોને અપડેટ માહિતી માટે એરલાઇન્સનો સંપર્ક કરવા જણાવાયું છે.