એફિલ ટાવરથી પણ ઊંચો ચિનાબ રેલવે બ્રિજ, પહાડો વચ્ચે એન્જિનિયરિંગનો ચમત્કાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે, જ્યાં તેઓએ ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ વડાપ્રધાન કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ ચિનાબ, ભારતભરમાંથી કાશ્મીર ખીણને ઓલ-વેધર રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને કટરા-શ્રીનગર મુસાફરીનો સમય ઓછો કરશે. વડાપ્રધાને ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. આ પછી, તેઓ કટરામાં ૪૬,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કરશે…