વડોદરાના દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં શુક્રવારે (બીજી મે) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ૧૧૫૬ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ચાલુ કાર્યક્રમમાં હરણી બોટકાંડની બે પીડિત મહિલાઓ મુખ્યમંત્રીને બૂમો પાડીને પોતાની રજૂઆત કરવા લાગી હતી. આ મહિલાઓ બીજું કોઈ નહીં પરંતુ વડોદરા હરણી બોટકાંડમાં પોતાના બાળકો ગુમાવનાર પીડિતા હતી. આ પીડિતાઓએ મુખ્યમંત્રીને જાહેરમાં રજૂઆત કરવા લાગી, ત્યારે સુરક્ષાકર્મીઓએ બળજબરીપૂર્વક તેમને બેસાડી દીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ક્રોધિત થઈને તેમને ચોક્કસ એજન્ડા થકી આવી હોવાનું કહીને બેસી જવાનું કહ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આવા વલણ સામે પોતાનો આક્રંદ વ્યક્ત કરતા પીડિતાએ કહ્યું કે, ‘શું અમે આતંકવાદી છીએ? શું અમે ગુનેગારો છીએ? અમારો વાંક એટલો જ છે કે અમે અમારા બાળકો ગુમાવ્યા છે…‘
‘શું અમે આતંકવાદી છીએ, ગુનેગાર છીએ?’ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હરણીકાંડ પીડિત મહિલાઓનું આક્રંદ
સંબંધિત ન્યૂઝ
-
જયપુર, મહિલા અનામત બિલ પર, “હું આ બિલનું સ્વાગત કરું છું, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી
13 April, 2026 -
આપણા દેશનું ચૂંટણી પંચ ન તો સ્વતંત્ર છે કે ન તો નિષ્પક્ષ : સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદ
11 April, 2026 -
“નક્સલવાદનો અંત આવ્યો છે : હૈદરાબાદ, તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) બી. શિવધર રેડ્ડી કહે છે
10 April, 2026 -
તમારે યાદ રાખવું જોઈએ કે ટીએમસીને ‘પીએમ’ શબ્દ પ્રત્યે ઊંડો નફરત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી
09 April, 2026 -
રામબન, જમ્મુ અને કાશ્મીર: ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે પર ટ્રાફિક ખોરવાયો
08 April, 2026
