વિલંબ બાદ હવે વસ્તી ગણતરી ૨૦૨૫થી શરૂ થશે, પછી તરત જ લોકસભાની બેઠકોનું સીમાંકન થશે?

કોરોના મહામારીના કારણે ચાર વર્ષના વિલંબ બાદ હવે વસ્તી ગણતરી ૨૦૨૫થી શરૂ થશે, જે ૨૦૨૬ સુધી ચાલશે. અગાઉ આ વસ્તી ગણતરી ૨૦૨૧ માં થવાની હતી, પરંતુ રોગચાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં કેટલાક મોટા ફેરફારો જાેવા મળશે. વસ્તી ગણતરી દર ૧૦ વર્ષે એક વખત કરવામાં આવે છે, પરંતુ હવે તેની સમય મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવશે. જ્યારે પહેલા આ પ્રક્રિયા દાયકાની શરૂઆતમાં થતી હતી, હવે આગામી વસ્તી ગણતરી ૨૦૩૫માં થશે...