મહિલા પ્રવાસીએ એવો પણ દાવો કર્યો હતો કે તે દિવસે સ્થળ પર કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી અને હુમલો 20 એપ્રિલે જ થઈ શક્યો હોત, પરંતુ કદાચ કોઈ કારણોસર તે ટળી ગયો હતો.
પહેલગામ આતંકવાદી હુમલાની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જૌનપુરની મહિલા પ્રવાસીએ દાવો કર્યો છે કે સ્કેચમાં દેખાતા આતંકી પૈકી એક શંકાસ્પદે પહેલગામ હુમલા પહેલા 20 એપ્રિલે તેને ખચ્ચર પર સવારી કરાવી હતી. મહિલા પ્રવાસીના જણાવ્યા મુજબ, વાતચીત દરમિયાન તેઓએ હથિયારો, બ્રેક ફેલ્યોર અને પ્લાન A-B નો ઉલ્લેખ કર્યો. મહિલા પ્રવાસીએ તેના ફોનમાંથી એક ફોટો અને વોટ્સએપના સ્ક્રીનશૉટ દેખાડ્યા હતા. મહિલા સાથે તેના મિત્રોએ પણ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી હતી.
એક તરફ સુરક્ષા એજન્સીઓ પહેલગામ આતંકવાદી હુમલાની તપાસમાં વ્યસ્ત છે, તો બીજી તરફ ઉત્તર પ્રદેશના જૌનપુરની એક મહિલા પ્રવાસી તરફથી એક સનસનાટીભર્યો દાવો સામે આવ્યો છે. મહિલાએ જણાવ્યું કે તેમનું જૂથ ૧૩ એપ્રિલે જમ્મુ અને કાશ્મીર ગયું હતું અને 22 એપ્રિલે પાછી ફરી હતી. તેઓ ૨૦ એપ્રિલે પહેલગામ પહોંચ્યા હતા. આ દિવસે હુમલા પહેલા તે બૈસરન ખીણની મુલાકાત લેવા ગઈ હતી, ત્યારે આતંકવાદી સ્કેચમાં દેખાતા એક શંકાસ્પદે તેને ખચ્ચર પર સવારી કરાવી હતી.
મહિલા પ્રવાસીએ દાવો કર્યો છે કે ખચ્ચર સવારી દરમિયાન આ શંકાસ્પદોએ તેને ઘણા વિચિત્ર પ્રશ્નો પૂછ્યા, જેમાં ધર્મ, ધાર્મિક સ્થળોની મુલાકાત અને મિત્રોની ધાર્મિક ઓળખ સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થતો હતો. મહિલા પ્રવાસીએ તેના ફોનમાં એક ફોટો અને એક વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ પણ બતાવ્યા જેમાં તેના મિત્રો પણ આ લોકોને ઓળખી રહ્યા છે. ફોટામાં એક વ્યક્તિ મરૂન રંગનું જેકેટ અને પાયજામા પહેરેલો જોવા મળી રહ્યો છે.
મહિલાએ જણાવ્યું કે, અમે 20 એપ્રિલના રોજ પહેલગામ પહોંચ્યા, તે જ દિવસે અમને કંઈક શંકાસ્પદ લાગ્યું અને તેથી અમે બધા હુમલાના વિસ્તાર બૈસરનથી લગભગ 500 મીટર પહેલા જ ઉતરી ગયા. ત્યાં આસપાસના કેટલાક લોકોના ઇરાદા સારા ન હતા અને અમને કુરાન વાંચવાનું કહેવામાં આવી રહ્યું હતું.
મહિલાનો દાવો છે કે જ્યારે અમે ખચ્ચર પર ચઢી રહ્યા હતા, ત્યારે બે લોકો અમને મળ્યા અને આ દરમિયાન તેઓએ મારા વિશે પૂછ્યું. અમારા ગ્રુપમાં હજુ કેટલા લોકો છે તેની માહિતી લીધી. ઉપરાંત ધર્મ વિશે પણ માહિતી લેવામાં આવી હતી. આ ઉપરાંત, તેમણે અમને કુરાન વાંચવાનું પણ કહ્યું અને એ પણ પૂછ્યું કે અમે રુદ્રાક્ષ કેમ પહેરીએ છીએ. આના પર મારા ભાઈએ કહ્યું કે તેને રુદ્રાક્ષ પહેરવાનું ગમે છે, તેથી અમારો તેની સાથે ઝઘડો પણ થયો. પછી અમે ત્યાંથી નીચે ઉતર્યા અને અન્ય ખચ્ચર માલિકોની મદદથી પાછા ફર્યા.
મહિલાએ કહ્યું કે આ જ વ્યક્તિ તેને પૂછી રહ્યો હતો કે શું તે ક્યારેય અજમેર દરગાહ કે અમરનાથ યાત્રા પર ગઈ છે. જ્યારે મહિલાએ કહ્યું કે તેણે અમરનાથ યાત્રા માટે નોંધણી કરાવી છે પણ હજુ સુધી ગઈ નથી, ત્યારે શંકાસ્પદે કહ્યું કે નોંધણી ના કરાવો, ફક્ત તારીખ જણાવો, અમારો માણસ તમને લેવા આવશે. આ વાતચીત દરમિયાન, જ્યારે મહિલા પ્રવાસીએ તે પુરુષ પાસે તેનો ફોન નંબર માંગ્યો, ત્યારે તેણે કહ્યું કે તેનો ફોન નકામો છે અને ઘણો અવાજ કરે છે.
આ પછી તરત જ, તે પુરુષના ફોન પર એક ફોન આવ્યો, જેમાં મહિલાએ પ્લાન A અને પ્લાન B જેવી કોડવર્ડ વાળી વાતો સાંભળી. કોલમાં કહેવામાં આવ્યું હતું કે ‘પ્લાન A ફેલ થઈ ગયો છે, તેઓ ખીણમાં 35 બંદૂકો મોકલવાની પણ વાત કરી રહ્યા હતા.’ આ પછી, જ્યારે તેને લાગ્યું કે તેઓ તેને ધ્યાનથી સાંભળી રહ્યા છે, ત્યારે તેણે તેની સ્થાનિક ભાષામાં વાત કરવાનું શરૂ કર્યું.
મહિલા પ્રવાસીએ કહ્યું કે આ પછી તે પુરુષે તેને પૂછ્યું કે તેને હિન્દુ ધર્મ વધુ ગમે છે કે ઇસ્લામ. મહિલા પ્રવાસીએ જવાબ આપ્યો કે તેને બંને ધર્મો ગમે છે. પછી તે વ્યક્તિએ તેને પૂછ્યું કે તેના કેટલા હિન્દુ મિત્રો છે અને કેટલા મુસ્લિમ મિત્રો છે. પછી તેણે એકતાને પૂછ્યું કે શું તેણે ક્યારેય કુરાન વાંચ્યું છે? મહિલાએ કહ્યું કે મને ઉર્દૂ આવડતી નથી, તેથી મેં કુરાન વાંચ્યું નથી. પછી તે વ્યક્તિએ જવાબ આપ્યો કે તે હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. આ પછી મહિલાને ત્યાં ડર લાગવા લાગ્યો.
મહિલા પ્રવાસીએ એવો પણ દાવો કર્યો હતો કે તે દિવસે સ્થળ પર કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી અને હુમલો 20 એપ્રિલે જ થઈ શક્યો હોત, પરંતુ કદાચ કોઈ કારણોસર તે ટળી ગયો હતો. તેણે કહ્યું કે તેના મિત્રો આ ઘટનાથી ડરી ગયા છે અને ખુલ્લેઆમ બહાર આવવા માંગતા નથી, પરંતુ તેમણે વોટ્સએપ ચેટમાં પણ આ લોકોને ઓળખી લીધા છે.