કેન્દ્ર સરકારે ગઈકાલે પીપીએફ એકાઉન્ટ હોલ્ડર્સ માટે મોટી રાહત જાહેર કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે કે હવે PPF ખાતામાં નોમિનીનું નામ અપડેટ કરવા કે ઉમેરવા માટે કોઈ ચાર્જ લાગશે નહીં. નાણા મંત્રીની આ જાહેરાતથી દેશના આશરે 6 કરોડથી વધુ લોકોને લાભ થશે.
કેન્દ્ર સરકારે ગઈકાલે પીપીએફ એકાઉન્ટ હોલ્ડર્સ માટે મોટી રાહત જાહેર કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે કે હવે PPF ખાતામાં નોમિનીનું નામ અપડેટ કરવા કે ઉમેરવા માટે કોઈ ચાર્જ લાગશે નહીં. નાણા મંત્રીની આ જાહેરાતથી દેશના આશરે 6 કરોડથી વધુ લોકોને લાભ થશે.
કેન્દ્ર સરકારે ગઈકાલે પીપીએફ એકાઉન્ટ હોલ્ડર્સ માટે મોટી રાહત જાહેર કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે કે હવે PPF ખાતામાં નોમિનીનું નામ અપડેટ કરવા કે ઉમેરવા માટે કોઈ ચાર્જ લાગશે નહીં. નાણા મંત્રીની આ જાહેરાતથી દેશના આશરે 6 કરોડથી વધુ લોકોને લાભ થશે.
અગાઉ ૫૦ રૂપિયા ફી વસૂલવામાં આવતી હતી
સરકારે એક જાહેરનામું બહાર પાડીને આ જરૂરી ફેરફારો કર્યા છે. નાણામંત્રીએ પોતાના પોસ્ટમાં કહ્યું કે તાજેતરમાં જ એવું જાણવા મળ્યું હતું કે પીપીએફ ખાતાઓમાં નોમિની વિગતો અપડેટ/સુધારવા માટે નાણાકીય સંસ્થાઓ દ્વારા શુલ્ક વસૂલવામાં આવી રહ્યા છે.
ચાર વ્યક્તિઓને નોમિની બનાવી શકાય છે
નાણામંત્રીએ જણાવ્યું હતું કે સંસદમાં પસાર થયેલા બેંકિંગ સુધારા બિલ 2025 ના નિયમો અનુસાર, હવે બેંક ગ્રાહકોના પૈસા અને લોકરની ચુકવણી માટે ચાર વ્યક્તિઓને નોમિની બનાવવાની મંજૂરી આપે છે.
નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે PPF ખાતાઓ માટે નોમિનીના અપડેટ પરના કોઈપણ ચાર્જને દૂર કરવા માટે 2 એપ્રિલ, 2025 ના રોજ ગેઝેટ નોટિફિકેશન દ્વારા સરકારી બચત પ્રમોશન જનરલ રૂલ્સ, 2018 માં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. બેંકિંગ સુધારા બિલ 2025 મુજબ, ગ્રાહક બેંકોમાં પૈસા અને લોકરની ચુકવણી માટે ચાર વ્યક્તિઓને નોમિની તરીકે બનાવી શકે છે.
સુરક્ષિત રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ
પીપીએફમાં મોટાભાગે પ્રોફેશનલ્સ રોકાણ કરે છે. ટેક્સમાં બચતનો વિકલ્પ હોવાથી તેમાં રોકાણ કરતાં હોય છે. રોકાણની સાથે મેચ્યોરિટી રકમ અને વ્યાજ પણ ટેક્સ ફ્રી છે. લોંગ ટર્મમાં સુરક્ષિત રોકાણ અને મોટું ફંડ બનાવવાની આ શ્રેષ્ઠ રીત છે. પીપીએફ એકાઉન્ટમાં રોકાણ પર કલમ 80 (સી) હેઠળ રૂ. 1.50 લાખ સુધીનું ટેક્સ ડિડક્શન મળે છે. પીપીએફમાં રોકાણ પર સરકાર હાલ 7.1 ટકા વ્યાજ આપી રહી છે. જેમાં ફુગાવાના આધારે ફેરફાર થતો હોય છે.