પ્રયાગરાજમાં બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટેનો ચુકાદોઃ અરજદારોને 10 લાખ વળતર આપવાનો આદેશ

bulldozzer-supremeCourt

વર્ષ ૨૦૨૧ માં પ્રયાગરાજમાં થયેલી બુલડોઝર કાર્યવાહી પર પોતાનો સૂપ્રિમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો

વર્ષ ૨૦૨૧માં પ્રયાગરાજમાં થયેલી બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને ૫ અરજદારોને ૧૦-૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ વળતર 6 અઠવાડિયામાં આપવામાં આવશે. કોર્ટે એમ પણ કહ્યું કે નોટિસ મળ્યાના 24 કલાકની અંદર ઘર તોડી પાડવું ખોટું હતું અને તેને ગેરકાયદેસર ગણાવ્યું.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વળતર એ માટે પણ જરૂરી છે કે ભવિષ્યમાં સરકારો યોગ્ય પ્રક્રિયા વિના લોકોના ઘર તોડી પાડવાનું ટાળે. ન્યાયાધીશોએ તાજેતરના એક વિડીયોનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં તૂટી પડતી ઝૂંપડીમાંથી પુસ્તકો લઈને ભાગતી એક છોકરી જોવા મળી હતી.

૨૩ માર્ચે ઉત્તર પ્રદેશના આંબેડકર નગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં, બુલડોઝર ઓપરેશન દરમિયાન એક છોકરી પોતાની ઝૂંપડી તરફ દોડતી જોવા મળે છે. છોકરી ઝૂંપડીમાં પહોંચે છે અને ઝડપથી તેના પુસ્તકો લઈને બહાર આવે છે.

આ પહેલા 7 માર્ચે સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી માટે ઉત્તર પ્રદેશ સરકારને ઠપકો આપ્યો હતો. પીડિતોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ભૂલથી તેમની જમીનને ગેંગસ્ટર અતિક અહેમદની મિલકત માની લીધી હતી. આ કારણે પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર અને અન્ય ત્રણ લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા હતા.

આ સમય દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે મકાનો ભૂલથી તોડી પાડવામાં આવ્યા હતા તે રાજ્ય સરકાર પોતાના ખર્ચે ફરીથી બનાવશે. જો તમે (એટર્ની જનરલ) આને પડકારવા માંગતા હો, તો તમે સોગંદનામું દાખલ કરીને કાનૂની લડાઈ લડી શકો છો.