કરણી રાજપૂત સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વીરુ સિંહે કહ્યું કે જ્યાં સુધી રામજીલાલ સુમન માફી નહીં માંગે ત્યાં સુધી તેઓ ચૂપ નહીં રહે. સુમન નાક રગડીને માફી માંગે, નહિંતર ચારે તરફ તેમનો વિરોધ ચાલુ રહેશે.
રાણા સાંગા પરના નિવેદન બાદ, કરણી સેના સપા સાંસદ રામજી લાલ સુમનનો વિરોધ કરી રહી છે. કરણી રાજપૂત સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વીરુ સિંહે કહ્યું કે જ્યાં સુધી રામજીલાલ સુમન માફી નહીં માંગે ત્યાં સુધી તેઓ ચૂપ નહીં રહે. સુમન નાક રગડીને માફી માંગે. નહિંતર, તેમનો ચોતરફ વિરોધ ચાલુ રહેશે. જો કોઈ અમારા પૂર્વજો અને મહાન નેતાઓ વિશે કંઈ કહેશે તો અમે તેને છોડીશું નહીં.
તો બીજી તરફ આગ્રામાં સપા સાંસદના ઘરે થયેલ હંગામા પર કરણી સેનાના વીરુ સિંહે કહ્યું કે તે સમયે ત્યાં રામજીલાલ સુમનના સેંકડો લોકો ત્યાં એકઠા થયા હતા. બધા લોકો ઇફ્તારી માટે એકઠા થયા હતા, તેઓએ પહેલા અમારા પર હુમલો કર્યો હતો. અને ત્યાર બાદ પોલીસે પણ લાઠી ચાર્જ કર્યો હતો.
વીરુ સિંહના મતે, અખિલેશ યાદવે આવા સાંસદને પાર્ટીમાંથી હાંકી કાઢવો જોઈએ. કારણ કે, આગ્રામાં, સપાના લોકો અને સાંસદના લોકોએ અમારા પર હુમલો કર્યો. તેઓ ઘરોમાંથી પથ્થરમારો કરી રહ્યા હતા. તેઓએ જ વાહનોમાં તોડફોડ કરી હતી. અમારા ડઝનબંધ કાર્યકરો ઘાયલ થયા છે. એક છોકરાને ૪૭ ટાંકા આવ્યા છે. અમે નિઃશસ્ત્ર હતા, છતાં અમે મક્કમ રહ્યા.
આ દરમિયાન, રામજી લાલ સુમનને સમર્થન આપવા બદલ અખિલેશ યાદવ સામે ABVP કાર્યકરોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. લખનૌમાં અખિલેશના પુતળા દહનને લઈને ABVPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે વિધાનસભાની સામે પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ABVPના કાર્યકરોએ અખિલેશ યાદવનું પૂતળું બાળ્યું હતુ. આ સમય દરમિયાન ‘ભારત રાણા સાંગાનું અપમાન સહન નહીં કરે’ જેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા.
સપા પર પ્રહાર કરતા વીરુ સિંહે કહ્યું કે આ એ જ લોકો છે જેમણે 1992માં કાર સેવકો પર ગોળીબાર કરાવ્યો હતો. આગરા પોલીસ શાંતિપૂર્વક વિરોધ કરવાનું કહી રહી હતી, પરંતુ ત્યાંથી ઈંટો અને પથ્થરો આવવા લાગ્યા. સપા સાંસદનાં લોકો ઇંટો ફેંકી રહ્યા હતા. એ જ લોકોએ તોડફોડ કરી છે. જે બાદ પોલીસે લાઠીચાર્જ કરતાં મારા પોતાના પગમાં ફ્રેક્ચર થયું હતું.
વીરુ સિંહે વધુમાં કહ્યું કે જો અખિલેશ યાદવ દલિતના પ્રતિનિધિ છે તો તેમની જગ્યાએ કોઈ દલિતને સીએમ બનાવે. સમાજવાદી પાર્ટીએ આપેલ ફંડ વાળા લોકો ત્યાં હતા, તેઓએ અમારા પર ઇંટો અને પથ્થરો ફેંક્યા. અમે શાંતિથી અમારા વિચારો વ્યક્ત કરવા ગયા હતા. આગરાની બાજુમાં રાજસ્થાન બોર્ડર છે, ત્યાં રાણા સાંગા જીની સ્મૃતિ છે, જો સપાના સાંસદો ત્યાં જઈને નાક રગડે તો આ આંદોલન સમાપ્ત થશે, નહીં તો તે વધુ મજબૂત થશે. તે એટલી મજબૂત રીતે વધશે કે તે ઇતિહાસના પાનામાં નોંધ થશે.
વહીવટીતંત્રે કરણી સેનાને કોઈ મદદ કરી ન હતી. પ્રશાસને માર માર્યો છે. સમાજવાદી પાર્ટીના લોકોએ પ્રશાસન વિરુદ્ધ લાકડીઓ અને સળિયાનો ઉપયોગ કર્યો હતો. કાયદાએ પોતાનું કામ કર્યું, અમે અમારું કામ કર્યું, સપાના લોકોએ હંગામો કર્યો. હવે રામજીલાલ સુમને માફી માંગવી પડશે.