ઉત્તર પ્રદેશના મેરઠમાં મર્ચન્ટ નેવી ઓફિસર સૌરભ કુમાર સિંહની હત્યાએ બધાને ચોંકાવી દીધા છે. સૌરભની હત્યા તેની પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલે કરી હતી. મર્ચન્ટ નેવી ઓફિસર સૌરભ કુમાર સિંહની હત્યાના આરોપી મુસ્કાન રસ્તોગીના માતા-પિતાએ તેમની પુત્રી માટે મૃત્યુદંડની માંગ કરી છે.
મેરઠમાં પ્રેમી દ્વારા પતિની હત્યાનો મામલો આજકાલ ખૂબ ચર્ચામાં છે. મર્ચન્ટ નેવી ઓફિસર સૌરભ કુમાર સિંહની હત્યા કેસમાં આરોપી પત્ની મુસ્કાન રસ્તોગીના માતા-પિતાએ તેને ફાંસી આપવાની માંગ કરી છે. પિતા કહે છે કે તેમની પુત્રી મુસ્કાન જીવવાનો અધિકાર ગુમાવી ચૂકી છે. તેના માતાપિતા તેમની પુત્રીના કૃત્યોથી શરમ અનુભવે છે. તેમણે પોતાની પુત્રી માટે સૌથી કડક સજાની માંગ કરી છે. માતા-પિતાએ હત્યાના ખુલાસાની આખી વાર્તા કહી. તેમણે કહ્યું કે જમાઈ ભગવાન હતા પણ દીકરી ડાકણ નીકળી.
મુસ્કાન રસ્તોગીની માતાએ એક મીડિયા ચેનલને જણાવ્યું હતું કે જ્યારથી સૌરભ લંડન ગયો છે, ત્યારથી તે (મુસ્કાન રસ્તોગી) એક અલગ ભાડાના ઘરમાં રહે છે. લગ્ન પછી બંને આ રીતે ભાડાના મકાનમાં રહેતા હતા. મુસ્કાન તેના સાસરિયાઓ સાથે કે અમારી સાથે પણ રહેવા માંગતી નહોતી. સૌરભ મુસ્કાનને ખૂબ જ પ્રેમ કરતો હતો. અમારી જ છોકરી ખરાબ નીકળી. આરોપી મુસ્કાનની માતાએ સૌરભને પોતાના પુત્ર જેવો જ ગણાવ્યો હતો.
મુસ્કાનની માતા કવિતા રસ્તોગીએ કહ્યું, ‘મને 18 તારીખે મારી પુત્રી મુસ્કાનનો ફોન આવ્યો. તે ફોન પર રડી રહી હતી. મેં પૂછ્યું શું થયું. મેં પૂછ્યું કે શું ઝઘડો થયો છે? બંને ઝઘડતા હતા પણ ક્યારેય એવું લાગતું નહોતું કે આવું કંઈક થશે. મેં તેને ઘરે આવવા કહ્યું. બીજા દિવસે ઘરે આવી. મેં પૂછ્યું કે સૌરભ ક્યાં છે? તેથી તે ચૂપ થઈ ગઈ. પછી તેણીએ કહ્યું કે તેની હત્યા કરવામાં આવી છે. તેણે કહ્યું કે તે તેના પરિવારને છોડતા નતા. મને તેની વાત પર વિશ્વાસ ન આવ્યો. મેં પૂછ્યું કે હત્યા કેવી રીતે થઈ. તુ તેમની સાથે પંદર દિવસ રહી તો પછી તે બૂમાબૂમ કેમ ના કરી? મે કહ્યું કે તે કંઈક ખોટું કર્યું છે. સાચુ બોલ, નહીંતર પોલીસ સત્ય જાણવા દબાણ કરશે. પછી મુસ્કાનના પિતાએ તેને ખાતરી આપી. જ્યારે તેને લાગ્યું કે તેના પિતા તેની સાથે છે, ત્યારે તેણે તેણીને કહ્યું, ‘મમ્મી, મેં એક છોકરા સાથે મળીને સૌરભનું ખૂન કર્યું છે.’
વધુમાં તેમણે કહ્યું, ‘હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે સૌરભને ન્યાય મળવો જોઈએ. હું આ દેખાડો કરવા માટે નથી કહી રહી. અમારે પણ એક દીકરો છે. બીજા ઘરનો દિકરો ગયો છે. મારા ભગવાન આ જાણે છે, મારા બાળકો આ જાણે છે. હું આ ફક્ત એટલા માટે કહી રહી છું કારણ કે સૌરભ જાણતો હતો કે અમે તેનો ખૂબ આદર કરતા. તે પણ અમારું ખૂબ માન સમ્માન રાખતો. મારી દીકરીને ફાંસી આપવી જોઈએ. મારો જમાઈ ભગવાન હતો પણ મારી દીકરી ડાકણ નીકળી.
મુસ્કાનની માતાએ કહ્યું કે સૌરભને ન્યાય મળવો જોઈએ. સૌરભે તો પોતાના માતા-પિતાને પણ છોડી દીધા હતા, તેના માતા-પિતા પાસે કરોડોની મિલકત છે, પણ તેણે મુસ્કાન માટે બધું છોડી દીધું હતુ. આ દરમિયાન, મુસ્કાનના પિતાએ કહ્યું કે તેમની પુત્રી મુસ્કાનને ફાંસી આપવી જોઈએ કારણ કે તેણીએ જીવવાનો અધિકાર ગુમાવી દીધો છે. માતાએ પણ મૃત્યુદંડની માંગણીનો પુનરોચ્ચાર કર્યો. માતાએ કહ્યું કે સૌરભ હંમેશા મુસ્કાનને સપોર્ટ કરતો હતો. જ્યારે સૌરભ લંડન જઈ રહ્યો હતો, ત્યારે તેણે મુસ્કાનને તેમનાં ઘરે મૂકવા કહ્યું હતું. પરંતુ દીકરી મુસ્કાન ઘરે આવી નહીં.
માતાએ કહ્યું કે મુસ્કાન ઘરે પણ બપોરે 12 વાગ્યા સુધી સૂતી રહેતી હતી, તેને અમારી દખલગીરી પસંદ નહોતી. જ્યારે સૌરભ લંડનમાં હતો, ત્યારે મુસ્કાનનું વજન 10 કિલો ઘટી ગયું હતું. આના પર અમને લાગ્યું કે આ સૌરભની યાદમાં થઈ રહ્યું છે. અમને ખબર નહોતી કે મુસ્કાનનો બોયફ્રેન્ડ સાહિલ તેને ડ્રગ્સનો નશો કરાવતો હતો.
ઉલ્લેખનીય છે કે, સૌરભ તેની પુત્રીનો જન્મદિવસ ઉજવવા લંડનથી પાછો ફર્યો હતો. પત્ની મુસ્કાન અને તેના બોયફ્રેન્ડ સાહિલે તેની હત્યા કરી હતી. પછી શરીરને 15 ટુકડાઓમાં કાપવામાં આવ્યું. તેણે ટુકડાઓને ડ્રમમાં બંધ કરીને પોતાના ઘરમાં છુપાવી દીધા હતા. પછી તે તેના બોયફ્રેન્ડ સાથે મનાલી ગઈ.