ગુજરાતનું 3 લાખ 70 હજાર કરોડનું બજેટ રજૂ; ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર ફોક્સ, પેન્શનરોને રાહત

gujaratBudget2025-26

Gujarat Budget 2025 Highlights: ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારનું વર્ષ 2025-26નું 3,70, 250 કરોડનું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રીએ રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ રાખ્યું હતું. આ પોથી ઉપર ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભ ઉપરાંત આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર્લી પેઈન્ટિંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી જોવા મળી હતી.

બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષિય ખાધ ઘટાડવા તેમજ સેમિ કંડક્ટર ક્ષેત્રે વિકસિત ભારત વિઝનને સાકાર કરવા પર ફોકસ કરવા ભાર મૂક્યો છે. ઘરનું ઘર સ્વપન સાકાર કરવા 3 લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન છે. આ સાથે જ સરકાર દ્વારા નવી યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી છે.

રાજ્ય સરકારના પેન્શરનરોએ હવે હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરી-બેંકમાં જવું નહીં પડે. 5.14 લાખ પેન્શનરોનની હવે ઘરઆંગણે જ હયાતીની ખરાઈ ઓનલાઈન અને વિનામૂલ્યે કરાશે.

નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્રની મુખ્ય બાબતો…

  • કુલ અંદાજપત્ર 2025-26: ₹3,70,250.35 કરોડ
  • મહેસૂલી ખર્ચ જોગવાઇ: ₹2,36,044.27 કરોડ
  • મૂડી ખર્ચ જોગવાઇ: ₹1,34,206.08 કરોડ
  • એકંદર વધારો: 2025-26 માટેની કુલ ફાળવણી
  • 2024-25ના અંદાજપત્રની સરખામણીમાં 11.37%નો વધારો

કયા મંત્રાલયને કેટલા ફંડની ફાળવણી

  • શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈ
  • આરોગ્ય અને પરિવહન-કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડની જોગવાઈ
  • સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે 6,807 કરોડની જોગવાઈ
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ
  • અન્ન-નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2,712 કરોડની જોગવાઈ
  • રમત-ગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ માટે 1,093 કરોડની જોગવાઈ
  • માર્ગ-મકાન વિભાગ માટે 24,705 કરોડ રૂપિયાની જોગવાઈ
  • આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની જોગવાઈ
  • શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયાની જોગવાઈ
  • પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયાની જોગવાઈ
  • કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22498 કરોડ રૂપિયા
  • ઉર્જા અન પેટ્રોકેમુકલ્સ વિભાગ માટે 6751 કરોડ રૂપિયા
  • સામાન્ય વહિવટ વિભાગ માટે 1999 કરોડ રૂપિયા
  • કલાઈમેન્ટ ચેન્જ માટે 429 કરોડ રૂપિયાગૃહ વિભાગ માટે 12659 કરોડ રૂપિયા
  • કાયદા વિભાગ માટે 2654 કરોડ રૂપિયા
  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે 362 કરોડ રૂપિયા
  • મહેસુલ વિભાગ માટે 5427 કરોડ રૂપિયા
  • વન અને પર્યાવણ વિભાગ માટે 3140 કરોડ રૂપિયા
  • નર્મદા, જળસંપતિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,642 કરોડ રૂપિયા

ગુજરાત બજેટ 2025-26 હાઇલાઇટ્સ…

  • મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ગુજરાતના ગરીબો માટે ત્રણ લાખ આવાસ બનાવવાની જાહેરાત
  • આવાસ ખરીદવા પર સરકાર 1.70 લાખ રૂપિયા સબસિડી આપશે
  • આદિજાતિના લોકોને વ્યક્તિગત ધોરણે આવાસ સહાય માટે 99 કરોડની જોગવાઇ
  • મહાનગરોમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે
  • વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ મળતી લોન અને સબસિડીની રકમમાં વધારો કરાયો
  • ધ સંજીવની યોજના અંતર્ગત 233 કરોડની જોગવાઇ
  • “સંત સુરદાસ યોજના” હેઠળ 80 ટકાને બદલે હવેથી 60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85 હજારથી વધુ દિવ્યાંગોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે
  • MSME અને સ્ટાર્ટઅપની વિવિધ યોજનાઑ માટે 3600 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ગૃહ વિભાગ માટે કુલ ₹12,659 કરોડની ફાળવણી
  • રાજ્યમાં શહેરી વિસ્તારોમાં માર્ગ સલામતી માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરવા માટે ₹63 કરોડની જોગવાઈ
  • નવી જાહેર થયેલી મનપા માટે 2300 કરોડની જોગવાઇ
  • અંબાજીની વિકાસ માટે 180 કરોડની જોગવાઇ
  • સાબરમતી રીવરફ્રન્ટ માટે 350 કરોડની જોગવાઇ
  • અમદાવાદ ગાંધીનગર અને સુરત મેટ્રો રેલ માટે 2730 કરોડની જોગવાઇ.
  • ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાયો માટે બે હજાર કરોડ રૂપિયાની ફાળવણી, 5 લાખ લોકોને લાભ થશે
  • રાજ્યનાં 10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે
  • ધો.1થી 8માં અભ્યાસ કરતાં અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 108 કરોડની જોગવાઇ
  • 81 લાખ લાભાર્થીઓને શિષ્યવૃતિ આપવા માટે 4827 કરોડ રૂપિયાની જોગવાઈ
  • પ્રિ મેટ્રીકના આશરે 13 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા 160 કરોડની જોગવાઇ
  • અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા 755 કરોડની જોગવાઇ
  • 664 આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજે 1 લાખ વિધાર્થીઓ માટે 547 કરોડની જોગવાઇ
  • 176 સરકારી છાત્રાલયો અને 921 ગ્રાન્ટ ઈન એઇડ છાત્રાલયોના અંદાજિત 70 હજાર વિદ્યાર્થીઓ માટે 313 કરોડની જોગવાઇ
  • SC-ST-OBCને અભ્યાસ માટે 6 ટકા વ્યાજે લોન આપવાની પણ જોગવાઇ
  • વિદ્યા સાધના યોજના હેઠળ ધોરણ ૯માં અભ્યાસ કરતી 33 હજાર આદિજાતિ વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે સાયકલ આપવા 15 કરોડની જોગવાઇ
  • સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે 912 કરોડની જોગવાઇ
  • આદિજાતિ વિસ્તારની નિવાસી શાળાઓમાં ગ્રીન કેમ્પસ બનાવવા 7 કરોડની જોગવાઇ
  • રાજ્યમાં 48 એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ, 43 ગર્લ્સ લીટરસી રેસિડેન્શીયલ સ્કૂલ, બે સૈનિક સ્કૂલ તથા 74 આદર્શ નિવાસી શાળાઓ એમ કુલ 167 નિવાસી શાળાઓ કાર્યરત છે. જેનો વ્યાપ વધારતા આ વર્ષે ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલી ખાતે 4 નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે. આમ આ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 40 હજાર વિદ્યાર્થીઓ માટે અને નવી શરૂ થનાર સ્કૂલો માટે કુલ 285 કરોડની જોગવાઇ
  • આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ
  • “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” માટે આ બજેટમાં કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઇ, 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ
  • “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ 290 કેન્‍દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે
  • પોષણલક્ષી યોજના માટે 8,200 કરોડ રૂપિયાની જોગવાઈ
  • પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને ભોજન સારી ગુણવત્તાનું અને સમયસર મળી રહે તે માટે “સેન્ટ્રલાઇઝડ કીચન” યોજનાની જાહેરાત, 551 કરોડ રૂપિયાની જોગવાઇ
  • ITIને અપગ્રેડ કરવા માટે 450 કરોડની જોગવાઈ કરાઈ
  • મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ યોજના હેઠળ મુખ્ય શહેરોમાં ગ્રીન રિંગ રોડ વિકસાવવા 200 કરોડની જોગવાઈ
  • રાજ્યમાં બે નવા એક્સપ્રેસ હાઈવે વિકસાવવામાં આવશે
  • ડીસાથી પીપાવાવ રસ્તાને નમોશક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે
  • સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે બનશે
  • 1450 ડિલક્સ અને 450 મીડી બસ એમ કુલ 1850 નવી એસટી બસ, 200 પ્રીમિયમ એસી બસો અને 10 કાર વાન મુકાશે. એસટી બસના અકસ્માત નિવારવા માટે ઓડિયો-વીડિયો એલર્ટ સિસ્ટમ ગોઠવાશે
  • દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. આ સાથે નાના શહેરોને હવાઇ માર્ગે જોડવા માટે 45 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે.
  • મુખ્યમંત્રી આદિમજુથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ 125 કરોડની જોગવાઇ
  • મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ 102 કરોડની જોગવાઇ
  • મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ 100 કરોડની જોગવાઇ
  • ખેડૂત તેની એકમાત્ર બચત રહેતી જમીન બિનખેતી કરાવે તો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે
  • સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ 87 કરોડની જોગવાઇ
  • કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે 42 કરોડની જોગવાઇ
  • યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત બેન્ક ધિરાણ પર વ્યાજ સહાય આપવા માટે 74 કરોડની જોગવાઇ
  • બંદરો અને વાહન વિભાગ માટે 4283 કરોડ રૂપિયાની જોગવાઈ
  • નવલખી અને મગદલ્લા બંદર માટે 250 કરોડ રૂપિયા
  • યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ રૂપિયા
  • દાહોદમાં નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિકસાવાશે
  • પોરબંદર, ભાવનગર, સુરત એરપોર્ટના વિસ્તરણ માટે 210 કરોડ રૂપિયાની જોગવાઈ
  • પારસી સર્કિટ, ક્રૂઝ ટુરિઝમ, બીચ હોટલ્સ માટે 50 કરોડની જોગવાઈ
  • પૂર નિયંત્રણ અને ફાયરને લગતા સાધનોની ખરીદી સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ₹429 કરોડ
  • નાના શહેરોને મોટા શહેરોનો હવાઈ માર્ગે જોડવા 45 કરોડની ફાળવણી
  • અમદાવાદ ખાતે ન્યુરોલોજીસ્ટ ઇન્સ્ટીટ્યુટ બનાવવામાં આવશે
  • રાજ્યમાં સાઇબર સેન્ટર ઓફ એક્સેલન્સ બનશ
  • તમામ જિલ્લામાં સાયબર ફોરેન્સીસ લેબ બનશે.
  • રાજ્યમાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ યુનિટ ઉભું કરવામાં આવશે
  • ટ્રાફિક પોલીસની 1390 નવી જગ્યા ઉભી કરવામાં આવશે
  • રાજ્યમાં 17 કરોડની વધુ વૃક્ષનું વાવેતર કરવામાં આવશે
  • ઉઘોગ અને ખાણ વિભાગ માટે 11706 કરોડ રૂપિયાની જોગવાઈ
  • વિદ્યા અને ટેક્નોલોજી વિભાગ માટે 2535 કરોડ રૂપિયાની જોગવાઈ