દિલ્હીના કાલિંદી કુંજ ઘાટ પર યમુનાની સફાઈ શરૂ થઈ, ૩ વર્ષમાં આ રીતે થશે સફાઈ, પીએમ મોદીએ આપ્યુ હતું વચન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ ફેબ્રુઆરીએ પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભાજપની જીતની ઉજવણી દરમિયાન યમુનાને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે શક્ય તેટલું બધું કરવાનું વચન આપ્યું હતું. એલજી મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ (સિંચાઈ અને પૂર નિયંત્રણ) ને મળ્યા અને યમુના સફાઈ કાર્ય શરૂ કરવાનો નિર્દેશ આપ્યો.