દેશનો દરેક નાગરિક ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વ્યસ્ત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સોનમર્ગ : ઝેડ-મોર ટનલના ઉદ્‌ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “આજે ભારત પ્રગતિની નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે. દેશનો દરેક નાગરિક ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વ્યસ્ત છે. આ ત્યારે જ થઈ શકે છે જ્યારે આપણા દેશનો કોઈ હિસ્સો, કોઈ પણ પરિવાર પ્રગતિ અને વિકાસમાં પાછળ નથી, આ માટે અમારી સરકાર સંપૂર્ણ સમર્પણ અને ‘સબકા સાથ સબકા’ની ભાવના સાથે દિવસ-રાત કામ કરી રહી છે….