દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપ સાથે સમજૂતી કરી : મુખ્યમંત્રી આતિશી

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું, “કોંગ્રેસના નિવેદનોથી સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપ સાથે સમજૂતી કરી છે. ગઈકાલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દેશદ્રોહી છે. હું કોંગ્રેસ પાર્ટીને પૂછવા માંગુ છું કે શું તેઓએ ક્યારેય ભાજપના કોઈ નેતા પર આવા આક્ષેપો કર્યા છે? ના. પરંતુ આજે કોંગ્રેસ અરવિંદ કેજરીવાલ પર દેશદ્રોહી હોવાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસે ગઈ કાલે મારી અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ fir નોંધાવી હતી.