કઝાકિસ્તાનના ઈમરજન્સી સિચ્યુએશન્સ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે પેસેન્જર પ્લેન ક્રેશ થતા 25 લોકો બચી ગયા હતા. અઝરબૈજાન એરલાઈન્સે બુધવારે જણાવ્યું હતું કે એમ્બ્રેર 190 પ્લેન અક્તાઉ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાનું હતું, પરંતુ તે પહેલા જ ક્રેશ થઈ ગયું.
અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ J2-8243 અઝરબૈજાનની રાજધાની બાકુથી રશિયાની રાજધાની ગ્રોઝની જઈ રહી હતી. જે 25 ડિસેમ્બરે પશ્ચિમ કઝાકિસ્તાનના શહેર અક્તાઉમાં ક્રેશ થયું હતું. જેમાં 42 લોકો માર્યા ગયા હોવાની આશંકા છે એમ કઝાક પરિવહન મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું. વિમાનમાં 62 મુસાફરો અને પાંચ ક્રૂ સભ્યો હતા.જેમાંથી 28 લોકોને બચાવી લેવાયા છે. 22ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે જેમની હાલત ગંભીર છે.
કઝાકિસ્તાનના કટોકટીની સ્થિતિ મંત્રાલયે જણાવ્યું હતું કે પેસેન્જર પ્લેન ક્રેશ થતાં 28 લોકો બચી ગયા હતા. અઝરબૈજાન એરલાઈન્સે બુધવારે જણાવ્યું હતું કે, એમ્બ્રેર 190 પ્લેનનું લેન્ડિંગ થાય તે પહેલા અક્તાઉ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કઝાકિસ્તાનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે 50 થી વધુ બચાવકર્મીઓ ઘટના સ્થળે હતા અને તેમણે આગને કાબુમાં લીધી હતી.
દેશના ઇમરજન્સી સિચ્યુએશન્સ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના કર્મચારીઓ ઘટનાસ્થળે આગ ઓલવી રહ્યા હતા. “જાનહાનિ વિશેની માહિતી હજુ પણ એકત્રિત કરવામાં આવી રહી છે, પરંતુ પ્રારંભિક માહિતી અનુસાર, કેટલાક લોકો બચી ગયા,” તે જણાવ્યું હતું. અકસ્માતનું કારણ શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી.
રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, આ દુર્ઘટના પક્ષીઓનાં ટોળાં સાથે અથડાવાને કારણે થઈ છે, કઝાકિસ્તાનના ઈમર્જન્સી મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુલ 52 બચાવ ટીમ અને 11 બચાવ ઉપકરણોને દુર્ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યાં છે.