બે દિવસમાં PM મોદી બીજીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ દેશના લોખંડી પુરુષ સરદાર પટેલની જન્મજયંતીને લઈ ઊજવાતા એકતા દિવસને લઈ બે દિવસ કેવડિયાની મુલાકાતે છે.
વડોદારા એરપોર્ટ પર આગમન બાદ PM હેલિકોપ્ટર મારફત કેવડિયાના એકતાનગર ખાતે પહોંચ્યા હતા. દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગરને મોટી ભેટ આપતાં રૂ. 280 કરોડથી વધુનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમણે નવાં પ્રવાસન અને આકર્ષણ કેન્દ્રોની સાથે સાથે પ્રવાસન કાર્યના વિકાસને પ્રોત્સાહન આપતા પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ PM મોદીએ આરંભ 6.0 કાર્યક્રમમાં કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કર્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ફેમ એકતાનગર કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહ અને અન્ય કાર્યક્રમોમાં હાજરી આપવા માટે અહીં પહોચતાં રાજ્યના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આજે વડોદરા એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

દિવાળી અને દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની પુર્વ સંધ્યાએ એકતાનગરને મોટી ભેટ મળી છે. વડાપ્રધાને બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર જેવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપનું ઉદ્ઘાટન કર્યું, જે એકતાનગરના વિકાસને વેગ આપશે. રૂપિયા ૨૩.૨૬ કરોડના ખર્ચે ૪ મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું, જે એકતા નગરને હરિત ઉર્જાના માર્ગે આગળ વધારશે.
વડાપ્રધાને 22 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, જેની સાથે ટ્રોમા સેન્ટર, સીટી સ્કેન, ICU, લેબર રૂમ અને ઓપરેશન થિયેટર જેવી પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ નાગરિકો માટે ઉપલબ્ધ થશે. આ સાથે ICU ઓન-વ્હીલ્સની નવી સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે, જેને કારણે વિકટ પરિસ્થિતિઓમાં પણ તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થશે.
PM આજે(30 ઓક્ટોબર, 2024) એકતાનગર ખાતે આવેલા VVIP ગેસ્ટહાઉસમાં જ રાત્રિરોકાણ કરશે અને આવતીકાલે(31 ઓક્ટોબર, 2024) સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી એકતા પરેડ નિહાળશે.
કેવડિયામાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમાની સાથે અનેક નજરાણાં ઉમેરવામાં આવ્યાં છે. જો કોઈ અહીં આવે તો ત્રણ દિવસ નિરાંતે તમામ નજરાણાંની મજા માણી શકે એવું સુંદર આયોજન કર્યું છે.