7 ઓક્ટોબરે બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવ, તેમના પુત્ર તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપને રેલ્વેમાં નોકરી માટે જમીનના કેસમાં જામીન મળ્યા.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સોમવારે, બિહારના ભૂતપૂર્વ સીએમ લાલુ યાદવ, તેમના પુત્રો તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપને નોકરી માટે રેલવેની જમીનના કેસમાં જામીન મળ્યા છે. આ કેસની સુનાવણી કરતા કોર્ટે તેમને જામીન આપ્યા હતા. તેમજ આગામી સુનવણી 25મી ઓક્ટોબરે નક્કી કરવામાં આવી છે. કોર્ટે ત્રણેય લોકોને એક-એક લાખ રૂપિયાના અંગત બોન્ડ પર મુક્ત કર્યા છે.
વાસ્તવમાં બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવ અને તેમના પરિવાર પર રેલવેમાં નોકરીના બદલામાં જમીન લેવાનો આરોપ છે. સોમવારે આ મામલામાં લાલુ, તેજસ્વી અને તેજ પ્રતાપ સહિત 8 આરોપીઓ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. આરોપીઓમાં હજારી પ્રસાદ રાય, અખિલેશ્વર સિંહ, ધર્મેન્દ્ર સિંહ સંજય રાય અને કિરણ દેવીના નામ સામેલ છે. આ કેસમાં ઇડીએ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. જે બાદ કોર્ટે ત્રણેય લોકોને હાજર થવા માટે સમન્સ મોકલ્યા હતા.
લાલુ પ્રસાદ યાદવ દીકરીઓ રોહિણી અને મીસા ભારતી સાથે રવિવારે દિલ્હી પહોંચ્યા હતા. સોમવારે તેઓ વ્હીલચેર પર કોર્ટ પહોંચ્યા હતા. EDએ લાલુ યાદવ પર ગુનાની આવક છુપાવવાનો અને અન્ય હેતુઓ માટે તેનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે લાલુ યાદવે જ્યારે તેઓ રેલવે મંત્રી હતા ત્યારે પટનાના મહુઆ બાગમાં જમીન માલિકોને રેલવેમાં નોકરી આપવાના બદલામાં તેમની જમીન ઓછી કિંમતે વેચવા માટે મજબૂર કર્યા હતા. EDએ લાલુના બે પુત્રો અને કેટલાક સહયોગીઓના નામે FIR દાખલ કરી છે.